SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અહાલું, આગણીસમું, અને વીસમું વ ૨. પુદ્ગલ પશ્ત્રિાજક, અને ચુલ્લીતકે ત્યાંથી નીકળી, ભગવાન આભિકા નગરી તરફ આવ્યા. ત્યાં શખવન ચૈત્યમાં પુદ્ગલ નામના પરિવ્રાજક રહેતા હતા. તેને નિર'તર છ ટકના ઉપવાસ કરતાં અને હાથ ઊંચા રાખીને તડ તપતાં તપતાં જ્ઞાન ઉપરનાં કાંઈક આવરણુ ક્ષય પામતાં દિવ્યજ્ઞાન ઉત્પન્ન થયું. પરંતુ તે કાંઇક અધૂરું હતું. તેથી, તે અાલાક સુધીના દેવલાની સ્થિતિ જાણવા જોવા લાગ્યા. તે ઉપરથી તેને એમ લાગ્યું કે, ત્યાંથી આગળ ખીન્ન ધ્રુવલે ક્રા નથી; અને દેવાની વધારેમાં વધારે સ્થિતિ દશ સાગરાપમ વ જેટલી જ છે. તેના એ દ્દિવ્યજ્ઞાનની વાત નગરીમાં ચેતરસ્ ફેલાઈ ગઈ, તે અરસામાં ભગવાન મહાવીર આત્રિકા આવી પહોંચ્યા. તેમના શિષ્ય ગૌતમે ભિક્ષા માગવા જતાં ગામમાં પુદ્ગલ પરિવ્રાજકના દેવાની સ્થિતિ વિષેના દ્વિવ્ય જ્ઞાન બાબત ચાલતી વાત સાંભળી. તે ઉપરથી તેમણે પાછા આવ્યા બાદ ભગવાનને એ વાતની સત્યાસત્યતા વિષે પૂછ્યું. ત્યારે ભગવાને જણુાવ્યું A પાળીને, મારણાંતિક સલેખનાથી જીવનના અંત લાવી, દેવગતિ પ્રાપ્ત કરી છે. કામદેવની પેઠે ચૂક્ષણિપિતાને એક દેવે બહુ ડરાવ્યા હતા, પણ્ તે ધ્યાનમાંથી ચલિત થયા ન હતા. તેના નાનામેટા પુત્રને કાપી તેલમાં તળવાના દેખાવ પણ તે દેવે કર્યાં. છેવટે તેની માતાને જ્યારે તે દેવ ઉકાળવા તત્પર થયા, ત્યારે લણિપિતા ઊડીને ઊભા થયા. પછી બધા ભ્રમ સમાતાં તેણે પ્રાયશ્ચિત્તાદિ કરી, ફરીથીનિયમનો સ્વીકાર કર્યાં. સુરાદેવને પણ દેવે તેના પુત્રને કાપીને તળવાને દેખાવ દેખાડથો હતા, પણ તે ડર્યાં નહિ. છેવટે તે તેને સુરાદેવના શરીરમાં સેાળ રામા સૂવાની ધમકી આપી, ત્યારે તે ઊઠીને ઊભા થઈ ગયા. પણ પછી ભ્રમ સમનતાં પ્રાયશ્ચિત્તાદિ કરી, તે ફરી નિયમમાં સ્થિત થયા. જાએ આ સાળાનું દશ ઉપાસકો પુસ્તક, અધ્યાયન ૩ તથા ૪.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy