SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ સર શ્રી મહાવીર કથા પર્વ આવ્યું ત્યારે ઉદયને જૈન વિધિ પ્રમાણે પેાતાની સાથેનાં બધાં માણસા પાસે વૈરવરાધની ક્ષમા માગી. પ્રદ્યોત પણ તે વખતે સાથે જ હાવાથી તેની પણ ક્ષમા માગવાની ધદષ્ટિએ સૂરજ ગણાઈ. એટલે તેણે પ્રદ્યોતને બંધનમુક્ત કર્યો અને પોતાને દેશ પાછા ફરવા દીધા. આ રીતે મહાસેન-પ્રદ્યોત વીતભયના દાયનના આજ્ઞાંકિત બન્યા હતા. એક વખત ઉદાયન રાજા મધ્યરાત્રીને સમયે ધજાગરણ કરતા હતા. તે દરમ્યાન તેને એવા સંકલ્પ થયા કે, તે ગામનગર વગેરે સ્થળાને ધન્ય છે, કે જ્યાં શ્રમણુભગવંત મહાવીર વિચરે છે; તથા તે રાજા-શેઠ આદિને પણ ધન્ય છે, જેએ શ્રમણુભગવંતનાં દન-વંદનાદિ કરે છે. જો શ્રમણુભગવંત મહાવીર ક્રૂરતા કરતા અહીં આવે તથા આ નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં ઊતરે, તે હું તેમને વંદન કરું, તથા તેમની ઉપાસના કરું.” ઉપર [પા. ૩૦૨ . ઉપર ] જણુાવ્યું તેમ ભગવાન તે સમયે મહચંદ્ર, કામદેવ આદિને ધર્મોપદેશ આપતા ચંપામાં વિહરતા હતા, તે હવે ઉદ્યાયનના માનસિક અભિપ્રાય જાણીને વીતભય તરફ આવવા નીકળ્યા, અને વીતયમાં આવી મૃગવનમાં ઊતર્યો. એ સમાચાર મળતાં જ ઉદૃાયત રાજા અત્યંત દુષિત થઈ પરિવાર-પ્રજાજન આદિથી વીંટળાઈ તેમનાં દર્શને ગયે. ભગવાને સૌને ધર્મોપદેશ આપ્યા.. તે સાંભળી ષિત થઈ ઉદાયન રાજાએ ભગવાનને પ્રદક્ષિણા કરીને કહ્યું કે, અભીતિકુમારને રાજ્ય વિષે સ્થાપન કરી, હું આપની પાસે પ્રત્રજ્યા લેવા ઇચ્છું છું. પછી ભગવાનની પરવાનગી મળતાં રાજા ઘર તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેને વિચાર આવ્યા કે, મારા પ્રિય પુત્રને હું રાજ્ય સેોંપી પ્રવ્રુજિત થાઉં, તા મારા તે પ્રિય પુત્ર મનુષ્ય
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy