SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે ભવઃ મલેશિની કથા જગતનાં પ્રાણુઓ મેળવી શકે છે. કોણ જાણે પછીના સમયમાં આપના જેવા સંતોના સહવાસને લાભ આ મેહનિદ્રામાં મગ્ન થયેલા જગતને મળશે કે કેમ?” ઋષભદેવજીએ જવાબ આપ્યો, “એવું કાંઈ નથી. ભવિષ્યમાં જેમ આ ભરતખંડમાં તારા જેવા બીજા અગિયાર ચક્રવતી થવાના છે, તેમ જગતને મોહનિદ્રામાંથી જાગ્રત કરી, ધર્મમાર્ગે ચડાવનારા બીજા અનેક તીર્થકરે પણ થવાના છે.' તે સાંભળી ભારતે આનંદ પામી, કુતૂહલથી આજુબાજુની વિરાટ પરિષદ તરફ હાથ કરીને પૂછયું, “ભગવાન ! આ પરિષદમાં એ કોઈ વિદ્યમાન છે ખરે, કે જે ભવિષ્યમાં આપની પેઠે તીર્થ પ્રવર્તાવી આ ભરતક્ષેત્રને ધન્ય કરશે?” તે સાંભળી અષભદેવે ભરતને કહ્યું, “તારે પુત્ર મરીચિ, કે જે અત્યારે સર્વ પ્રકારના વિષયી તથા હિંસક વિચારોને રેકી, ધર્મધ્યાન કરતો એકાંતમાં બેઠેલે છે, તે ભવિષ્યમાં ધીરે ધીરે પિતાની કર્મજ ઓછી કરતાં કરતાં પ્રથમ તો આ ભરતક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ઠ નામે આદિ વાસુદેવ થશે, પછી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે; અને પછી ઘણા કાળ બાદ આ જ ભરતક્ષેત્રમાં મહાવીર નામે તીર્થકર થશે.” - ભરતને આ સાંભળી ઘણે આનંદ થયો. તેથી ત્યાંથી ઊઠી, તે ભવિષ્યના તીર્થકર મરીચિને વંદન કરવા ગયે. તેણે મરીચિને કહ્યું, “ષભદેવજીએ તમારે વિષે કહ્યું છે કે, ધીમે ધીમે શુદ્ધ થતા થતા તમે ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ થવાના છે; પછી પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થવાના છે; અને ત્યારબાદ તીર્થકર મહાવીર થવાના છે. તમારી એ ભવિષ્યની મહાનુભાવતાને હું અત્યારથી જ વંદન કરી લઉં છું.” એમ કહી ભરતે મરીચિને વંદન કર્યું. ત્યારબાદ સાષભદેવજીને ફરીથી વંદન કરી, ભરત પિતાની અયોધ્યા નગરીમાં પાછો ફર્યો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy