SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ૩. સ્થૂલ ચૌર્યના ત્યાગી શ્રમણોપાસકે ચોરીને માલ ન રાખવે, ચોરી કરવા પ્રેરણા ન કરવી, બે વિરોધી રાજ્ય નિષિદ્ધ કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું, બેટાં તેલાં કે માપ ન રાખવાં, અને સેળભેળ કરીને કે બનાવટી વસ્તુને મૂળની જગાએ બતાવીને વહેવાર ન કરવો. ૪. સ્વદારસંતોષવ્રતના ધારક શ્રમણે પાસકે વેશ્યાગમન ન કરવું, કુમારી કે વિધવાને સંસર્ગ ન કરવો, બીજી સ્ત્રીઓ સાથે શૃંગારચેષ્ટા ન કરવી, બીજાના વિવાહે નહીં કરવા અને કામગમાં તીવ્રાભિલાષ નહીં કરે. ૫. ઈચ્છાવિધિપરિમાણના ધારક શ્રમણોપાસકે ક્ષેત્રવાતુ, હિરણ્યસુવર્ણ, દ્વિપદચતુષ્પદ, ધનધાન્ય અને ઘરવખરાના નક્કી કરેલા પ્રમાણનું ઉલ્લંધન નહીં કરવું. ૬. દિગ્ગત ધારણ કરનાર શ્રમણોપાસકે ઊર્ધ્વદિશાના, અદિશાના, અને તિર્યંગદિશાના પ્રમાણનું ઉલ્લંઘન ન કરવું, વ્યાપાર કે કોઈ વ્યવહારુ કામ માટે ધારેલા ક્ષેત્રના માપમાં વૃદ્ધિ ન કરવી, કે એકનું બાકી રહેલું માપ બીજામાં ન વધારવું, તેમજ પ્રવાસને અંગે ચોકકસ સ્મૃતિ રાખવી. ૭. ઉપભોગ-પરિભેમ-પરિમાણ ધારણ કરનાર શ્રમણપાસકે ભોજનાશિત અને કમશ્રિત એમ બે પ્રકારના તેના ભેદ સમજવા. ભોજનાશ્રિત ઉપભોગ-પરભોગ-પરિમાણુની મર્યાદાને સુરક્ષિત રાખવાને અંગે કોઈ પણ સજીવ વસ્તુ નહીં ખાવી, સજીવ વસ્તુ સાથે સંબંધવાળી વસ્તુ પણ ન ખાવી, કાચી ઔષધ ને ખાવી, બરાબર નહી પાકેલી ઔષધિ નહીં ખાવી, અને તુચ્છ ઔષધિ નહીં ખાવી. કમશ્રિત ઉપભોગ-પરિભોગ-પરિમાણની મર્યાદા સુરક્ષિત
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy