SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી મહાવીર કથા જ ઠંડે પાડી દઈ, તેને પૂછયું, “હે બ્રાહ્મણ! કર્મ છે કે નહીં, એ તારા હૃદયમાં સંશય છે કે નહીં? આ પ્રશ્ન થતાં જ અગ્નિભૂતિને પણ ગર્વ નષ્ટ થઈ ગયો. અને તે પ્રભુને શરણે આવ્યો. ભગવાને તેને કહ્યું, “જીવને બાંધનાર કર્મ જેવી વસ્તુ છે જ. કર્મ ન હોય, તો જુદા જુદા જીવો સુખદુઃખ વગેરે વિચિત્ર ભાવો પ્રાપ્ત કરે શી રીતે? ઉપરાંત, અમૂર્તિમાન જીવન મૂર્તિમાન કર્મરાજ સાથે સંબંધ થાય શી રીતે, એવી શંકા પણ અકિંચિકર જ છે. કારણ કે, એ સંબંધથી ઉત્પન્ન થતાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોગવીએ જ છીએ, તો પછી એવી નકામી તાત્વિક ચર્ચાને વળગી રહેવાનું શું પ્રયોજન?” અલબત્ત, અગ્નિભૂતિ વગેરેને સાંભળવામાં પહેલાં પણ આવી લીલે નહતી આવી એમ હતું જ નહીં, તેમજ તેમણે એ જાતની બધી દલીલનો પિતાના તીક્ષ્ણ પાંડિત્યથી કેટલીય વાર છેદીને છેદ ઉડાડી દીધો હતો, પરંતુ પ્રત્યક્ષ અનુભવથી બાલતા આપ્તજનને મોઢેથી નીકળતી દલીલે, શુષ્ક પંડિતને મુખેથી નીકળતી દલીલ જેવી થેડી જ હોય છે? અગ્નિભૂતિને પણ જિતાયેલે સાંભળી તેના ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે, મારા આ બે પ્રખર બુદ્ધિશાળી ભાઈઓને સંશયમુક્ત કરી જીતનાર પુરુષ ખરેખર સર્વજ્ઞ જ હાવા જોઈએ. તો લાવ હું તેમની પાસે જઈ મારા હૃદયનો સંશય પણ દૂર કરું. તેને એ સંશય હતો કે શરીરથી ભિન્ન જીવ નામનો કોઈ જુદો પદાર્થ શી રીતે હેઈ શકે? અમુક પદાર્થો ભેગા થતાં તેમાં જેમ એની મેળે ઊભરો ચઢે છે, તેમ શરીરઘટક અમુક પદાર્થો ભેગા થતાં જ તેમાં ચિતન્યરૂપી ઊભરે આવે છે, અને પેલા ધટક પદાર્થોની શક્તિ ક્ષીણ થતાં એ ઊભરો શમી જાય છે. ભગવાને તેને એ ઊંડો સંશય કહી બતાવી, ખુલાસો આપ્યો કે, “હે બ્રાહ્મણ હું કહું છું કે દેહ તથા ક્રિયેથી છવ જુદો જ છે. દેહેંદ્રિયનો સમુદાય જ જીવરૂપ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy