SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ દીક્ષાના પ્રથમ છ વર્ષ દીક્ષા લીધા બાદ પહેલે દિવસે ફરતા ફરતા મહાવીર બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુસ્માર ગામે પહોંચ્યા. ત્યાં આવી ગામની સીમ પાસે તે ધ્યાનસ્થ થયા. પરંતુ તે દરમ્યાન, અભિષેક વખતે તેમના ઉપર લગાડેલા ચંદનાદિ સુગંધી પદાર્થોની સુગંધથી ખેંચાયેલા ભમરા, તેમની પાસે તે સુગંધ બનાવવાની કે મેળવવાની માહિતી પૂછતા જુવાનિયાઓ, તથા તે સુગંધ તેમજ તેમના શરીરસૌંદર્યથી કામમોહિત થયેલી સ્ત્રીઓ તરફથી તેમને ઘણે ત્રાસ વેઠવો પડ્યો. આ જાતને ત્રાસ, ન નાહવાને કારણે, ચાર મહિના સુધી પહોંચ્યો હતો, એમ આચારાંગ, કલ્પસૂત્ર વગેરે ગ્રંથમાં સેંધાયેલી હકીક્ત પરથી જણાય છે. ૧. વાળ હવે કુમ્ભાર ગામના સીમાડા પર જ્યાં મહાવીર ધ્યાનસ્થ થયા હતા, ત્યાં એક ગોવાળ આખો દિવસ હળ ખેંચી થાકેલા તથા સુધાપીડિત થયેલા બળદો લઈને આવ્યો. તેને ગામમાં ગાયો દેહવા જવું હતું, પરંતુ બળદોને ચારો ચરવા ઇચ્છતા જોઈ, તે ગેવાળ મહાવીર પ્રભુને તે બળદો તરફ જોતા રહેવાનું કહી, “Èડી વારમાં જ પાછો આવું છું’ એમ માનતો ગામમાં ચાલ્યો ગયો. મહાવીરે તેનું કહ્યું સાંભળ્યું કે નહીં, અથવા સ્વીકાર્યું કે નહીં, તે જાણવાને તેને ઉતાવળમાં ખ્યાલ પણ ‘ન રહ્યો. બળદે ચરતા ચરતા ત્યાંથી દૂર ચાલ્યા ગયા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy