SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાવસ્થા તેમ જ ધર્મનું રહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ પણ દુર્લભ છે. માટે મનુષ્યદેહ પ્રાપ્ત કરી, કર્મોનો નાશ થાય તેવું પરાક્રમ પ્રગટાવી, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા વેળાસર પ્રયત્ન કરવો જોઈએ.” [સૂત્રકતાંગ ૨-૧૫, તથા ૧-૨] મનુષ્યનું જીવિત દિવસ જતાં પીળું થઈ ખરી જતા ઝાડના પાન જેવું, અને દાભની અણું ઉપર લટકી રહેલા ઝાકળના ટીપા જેવું ક્ષણિક તથા થોડે કાળ રહેનારું છે. વળી તે અનેક વિધ્રોથી ઘેરાયેલું છે. માટે એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો.” [ઉત્ત. ૧૦] તેમની આ જાતની વિચારસરણું તેમની રીતભાતમાં તથા રોજિંદા વ્યવહારમાં પ્રગટ થયા વિના નહીં રહેતી હોય, તથા તેમનાં માતપિતાને પણ ચાલુ ફિકરનું કારણ બન્યા જ કરતી હશે. કથાકાર એ વિષે કશો સીધો ઉલ્લેખ નથી કરતા. પરંતુ વર્ધમાન યોગ્ય ઉમરના થતાં તેમને માટે જ્યારે કન્યાએના પિતા તરફથી માગાં આવવા માંડ્યાં, ત્યારે માતપિતાના હદયની એ ગુણ ચિંતા પ્રગટ થયા વિના ન રહી. સમરવીર નામના કોઈ રાજાએ પોતાની રાણી પદ્યાવતીની પુત્રી યદાનું વર્ધમાન સાથે લગ્ન કરવા વર્ધમાનના પિતા સિદ્ધાર્થ ઉપર કહેણ મોકલ્યું. વર્ધમાનની વિરક્ત ટેવાથી પરિચિત એવાં માતાપિતા તેમના મનની વાત જાણ્યા વિના કશો નિશ્ચિત જવાબ શી રીતે આપે? એટલે તેમણે વધમાનના મિત્રો દ્વારા એ બાબતમાં તેમને અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો. જવાબ જેવો ધાર્યો હતો તેવો જ મળે. વર્ધમાને ભેગ તેમજ સંસારી જીવન વિષે પિતાના ખ્યાલને કહી બતાવીને ૧. તે કયા દેશનો હતો તે વિષે કશી માહિતી નોંપાઈ નથી. માત્ર તે વસંતપુરનો હતો એટલી વિગત નોંધાઈ રહી છે. ૨. જુએ છેલ્લા ખંડમાં તે વિષયનાં વાકયો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy