SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ધમકથાઓ સાર આ અધ્યયનમાં આરાધક અને વિરાધકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આરાધક એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનાર, અને વિરાધક એટલે તે પ્રમાણે નહિ ચાલનાર. જે મનુષ્ય પોતે માનેલાં સ્વજને સાથે કે અન્ય ધમવાળાઓ સાથે કઈ પ્રકારની અથડામણમાં આવે છે, તેને આમાં સ્પષ્ટ શબ્દમાં વિરાધક કહાો છે. અને જે બધા સાથે સમભાવથી વતે છે, તેને આરાધક કહ્યો છે. અન્ય તીર્થિક (અન્ય સંપ્રદાયવાળાઓ) સાથે અથડામણમાં આવવાનું નિમિત્ત માત્ર સાંપ્રદાયિક અમિતા સિવાય બીજું કાંઈ કળી શકાતું નથી. ભગવાન જાણતા હતા કે આ એકજ કારણથી એક ધર્મને માનનારા પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયવાળા અને જુદા જુદા ધર્મને માનનારા એ બધા પિતા પોતાને સાચા માનીને તે પ્રમાણે વર્તશે તે નહિ, પણ લડશે જરૂર. એવા લડનારાઓને તેમણે વિરાધક કહીને ખાસ વખોડક્યા છે. આથી સ્પષ્ટ માલમ પડે છે કે જિનપ્રવચનમાં પરસ્પર મતભેદને અંગે જેનેએ પરસ્પર ધમકલહ કરે એ ભગવાનની ચોખ્ખી વિરાધના છે. તેમ જ બીજા પ્રવચનની સાથે, તેમને મિથ્યા કહીને કલહ કરે એ પણ વિરાધના જ છે. ભગવાનના કહા પ્રમાણે જે પુરુષ સ્વ કે પરધમી સાથે સહિષ્ણુતાથી વર્તે છે તે જ આરાધક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy