SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાએ ભયંકર સ્વભાવવાળા અપાર સંસારસાગરમાં પડીને ભ્રમણ કર્યા કરશે. તેમજ હે જંબુ! જેમ જિનપાલિત દેવીથી ક્ષેમ ન પામતાં પોતાના સ્થાને જઈ જીવિત અને સુખ પાપે, તે પ્રમાણે જે શ્રમણે અને શ્રમણુઓ સર્વ પ્રકારના માનસિક કામને એક વાર મૂક્યા પછી ફરી ઇચ્છતાં નથી, તે આ ભયંકર સંસારસમુદ્રને ઓળંગી સિદ્ધિપદને પામે છે. હે જંબુ! શ્રમણભગવાન મહાવીરે નવમા અધ્યયનને આ પ્રમાણે અર્થ કહ્યો છે, તે તને મેં કહ્યો, એમ આર્ય સુધર્મા બોલ્યા. ૧૦ ચંદ્રમા [ચંદિમા૧] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના નવમા અધ્યયનને અર્થ જાણ્યો; તે હવે તેના દશમાં અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા – એકવાર રાજગૃહ નગરની બહારના ગુણશિલક ચિત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યા હતા. તેમના મોટા શિષ્ય ગૌતમે તે વખતે તેમને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછયો – “હે ભગવાન ! આત્માની શુદ્ધિને વિકાસ કેવી રીતે થાય છે અને હાસ કેવી રીતે થાય છે, તે મને કહે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy