SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ११०० • एककारकेण कारकान्तरान्यथासिद्धिविरहः • द्वात्रिंशिका - १६/४ તસ્ય = ईश्वरस्य इच्छया (= तदिच्छया) सर्वं जगत् यथाकर्म कर्माऽनतिक्रम्य विवर्तते = उच्चावचफलभाग् भवति । न च कर्मणैवाऽन्यथासिद्धिः ', एककारकेण कारकान्तराऽनुपक्षयादिति ભાવ: ||૪|| – उत्कृष्टा सर्वं जगत् सचराचरं कर्म प्राक्कृतमदृष्टं अनतिक्रम्य = अनतिलङ्घ्य उच्चावचफलभाग् पकृष्टशुभाऽशुभपरिणामयुक्तं भवति । प्रकृते जगत्कर्तुमकर्तुञ्चाप्यन्यथा कर्तुमीशते ।। यः स ईश्वर इत्युक्तस्सर्वज्ञत्वादिभिर्गुणैः । ब्रह्म-विष्णु- शिवाद्यैश्च नामरूपैस्स संयुतः ।। ← (રા.Î.૭/૪૧-૪૨) કૃતિ રામપીતાવવનું, → સર્વજ્ઞ: સર્વર્તા ચ સર્વાનુપ્રહાર: ૯ (વે. गी. २ / ४५ ) इति च देवीगीतावचनमपि यथातन्त्रमनुयोज्यमनुयोगकुशलैः । न च एवं कर्मणोऽपेक्षायां कर्मणैव ईश्वरस्य अन्यथासिद्धिः जगद्विवर्तं प्रतीति शङ्कनीयम्, एककारकेण कारकान्तराऽनुपक्षयात् हेत्वन्तरान्यथासिद्धत्वाऽयोगात्, अन्यथा दण्डेन चक्र - चीवर- कुलाल- कपालादीनामप्यन्यथासिद्धत्वं घटं प्रति स्यात् इति भावः = पातञ्जलानामाशयः ।।१६ / ४ ।। નથી થઇ.' (અર્થાત્ જ્યારથી કાળનું અસ્તિત્વ છે. ત્યારથી જ ઈશ્વરનું અસ્તિત્વ છે.) * ઇશ્વરેચ્છા મુજબ જગત સંચાલન ! * ઈશ્વરની ઇચ્છા અનુસાર આખું જગત કર્મનું ઉલ્લંઘન કર્યા વિના પ્રવર્તે છે, પરિણમે છે, ઉચ્ચનીચ ફળને ભોગવે છે. કર્મ દ્વારા ઈશ્વરેચ્છાની અન્યથાસિદ્ધિ નહિ થાય. કારણ કે એક કારક દ્વારા બીજા કારકોની કારણોની અન્યથાસિદ્ધિ થતી નથી- એવો અહીં આશય છે. (૧૬/૪) = વિશેષાર્થ ઃ- ‘ઈશ્વરની ઈચ્છા હોવા છતાં પણ કર્મ પ્રતિકૂળ હોય તો માણસનું કાર્ય થતું નથી. આથી જગતના કાર્યો પ્રત્યે ઈશ્વરીય ઇચ્છા કારણભૂત કઈ રીતે થઇ શકે ? વળી, ઈશ્વરેચ્છાને જગતનું કારણ માન્યા પછી પણ કર્મને તો કારણ માનવું જ પડે તેમ છે. તો પછી કર્મને જ જગતના તમામ કાર્યોનું કારણ માનો ને ! આમ જગતના તમામ કાર્યો કર્મ દ્વારા સિદ્ધ થઇ જવાથી તેના પ્રત્યે ઇશ્વરેચ્છા ઉપક્ષીણ ચરિતાર્થ = અન્યથાસિદ્ધ = અકારણ સિદ્ધ થશે.” આવી શંકાનું સમાધાન કરવા માટે પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે કાર્યની નિષ્પત્તિ માત્ર એક કારણથી નથી થતી, પણ કારણસમૂહથી = સામગ્રીથી થાય છે. કુંભારને ઘટનું કારણ માન્યા પછી પણ દંડ, ચક્ર, ચીવર વગેરેને ઘડાના કારણ માનવા જ પડે છે. પરંતુ તેનો અર્થ એ નથી દંડાદિને ઘટકારણ તરીકે સ્વીકારવાની આવશ્યકતા ઊભી થવાથી કુંભાર ઘડા પ્રત્યે અન્યથાસિદ્ધ અકારણ = અકારક બની જાય. ઘટ પ્રત્યે કુંભાર કર્તાકારક છે, દંડ કરણકારક છે, ચક્ર અધિકરણકારક છે. આ વાત સમગ્ર જગત સ્વીકારે છે. તે રીતે ઈશ્વરની ઇચ્છા પણ જગતના તમામ કાર્યનું કારણ બની શકે છે. તથા કર્મ પણ જગતના તમામ કાર્યનું કારણ બની શકે છે. કર્મને જગતના તમામ કાર્યોનું કારણ માનવા માત્રથી ઈશ્વરેચ્છા અન્યથાસિદ્ધ = અકારણ કારકભિન્ન સાબિત ન થઈ શકે. આમ જગતના તમામ કાર્યો પ્રત્યે ઈશ્વરેચ્છા = ઇશ્વરાનુગ્રહ કારણ હોવાથી યોગ પ્રત્યે પણ ઇશ્વરાનુગ્રહ કારણ સિદ્ધ થાય છે. તેથી ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપયોગ ઇશાનુગ્રહજન્ય છે- આમ ફલિત થાય છે.(૧૬/૪) પ્રસ્તુત માન્યતાનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે. = = છુ. ‘સિદ્ધઃ' કૃતિ મુદ્રિતપ્રતો । Jain Education International = = = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy