SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ७८७ • મોક્ષશાસ્ત્રીવયેતાવિદ્યતનમ • ननु यदि प्रतिलोमशक्तिरपि सहजैव प्रधानस्याऽस्ति तत्किमर्थं योगिभिर्मोक्षार्थं यत्नः क्रियते? मोक्षस्य चाऽनर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्याऽऽनर्थक्यमित्यत आह - न चैवं मोक्षशास्त्रस्य वैयर्थ्यं प्रकृतेर्यतः । ततो दुःखनिवृत्त्यर्थं कर्तृत्वस्मयवर्जनम् ।।२०।। _____ न चेति । न चैवं = मुक्तौ प्रकृतेरेव सामर्थ्ये मोक्षशास्त्रस्य' वैयर्थं = २आनर्थक्यं, यतः राजमार्तण्डानुसारेण शङ्का-समाधानाऽऽविष्करणार्थमुपक्षिपति- नन्विति । मोक्षस्य च अनर्थनीयत्वे = पुरुषाऽनभिलपणीयत्वे = पुरुपार्थ्यत्वाऽभावे = पुरुषार्थत्वविरहे तदुपदेशकशास्त्रस्य = मोक्षपुरुषार्थबोधकाऽऽगमस्य आनर्थक्यं = वैयर्थ्यं स्याद् इत्यतः पातञ्जल आह- न चेति । न च एवं = प्रतिलोमशक्तेरपि प्रकृतिनिष्ठायाः स्वाभाविकत्वेन मुक्तौ = मुक्तिं प्रति प्रकृतेरेव सामर्थ्य निश्चिते सति मोक्षशास्त्रस्य = मोक्षोपदेशकशास्त्रस्य आनर्थक्यं = नैरर्थक्यं प्राप्तमिति शङ्कनीयम्, यस्मात् कारणात् રાગ, દ્વેષ અને અભિનિવેશ - આ પાંચ પાતંજલ યોગદર્શનમાં ક્લેશ કહેવાય છે. પંચમહાભૂત વગેરે કાર્યો અસ્મિતા સુધી લય પામે છે. પ્રતિલોમ શક્તિ દ્વારા અભિનિવેશાદિનો પોતપોતાના કારણ દ્વેષાદિમાં પ્રવેશ થતાં અમિતાનો અવિદ્યામાં પ્રવેશ થાય છે. ત્યાર બાદ પુરુષને ભેદજ્ઞાન = વિવેકખ્યાતિ થાય છે ત્યારે અવિદ્યાનો પણ પોતાના કારણ અંતઃકરણમાં લય થાય છે. ત્યારે પંચ મહાભૂત પણ પોતપોતાના કારણમાં વિલીન થવા દ્વારા અંતે અહંકાર પણ અંતઃકરણમાં લય પામે છે. આ પ્રમાણે પુરુષને ભોગની સમાપ્તિ કરાવવા દ્વારા પ્રકૃતિમાં રહેલી અનુલોમ-પ્રતિલોમ પરિણામ સ્વરૂપ બે સહજ શક્તિનો ક્ષય થાય છે. આમ પ્રકૃતિ સ્વયે કૃતાર્થ-કૃતકૃત્ય થાય છે. કારણ કે ભોગ અને મોક્ષ- એમ બન્ને પુરુષપ્રયોજન પ્રકૃતિએ ચરિતાર્થ કરેલ છે. પછી પ્રકૃતિ તે પુરુષ પ્રત્યે અનુલોમાદિ પરિણામનો આરંભ કરતી નથી. જ્યાં સુધી ભોગ સ્વરૂપ કાર્ય બાકી હોય છે ત્યાં સુધી જ પ્રકૃતિનો અનુલોમ પરિણામ હોય છે. વિવેકખ્યાતિ પછી અવિદ્યા ન રહેવાથી અનુલોમપરિણામરૂપ શક્તિ ક્ષીણ થઈ જાય છે. પછી પ્રતિલોમ પરિણામ સક્રિય થતાં પંચમહાભૂત વગેરેનો સ્વકારણમાં વિલય થતાં અંતે ચિત્ત નિર્વિકારી થયે છતે દષ્ટા પુરુષ પોતાના સ્વરૂપમાં રહે છે. આ જ મોક્ષ છે. પુરુષની મુક્તિરૂપ સ્વપ્રયોજન પૂર્ણ થતાં પ્રકૃતિ તે પુરુષ પ્રત્યે કૃતાર્થ બની જાય છે. તેથી પ્રકૃતિ જડ હોવા છતાં અને પુરુષપ્રયોજનકર્તવ્યતાનો અધ્યવસાય ન થવા છતાં પણ કોઈ વાંધો નહિ આવે (૧૧/૧૯) અહીં એક શંકા થઈ શકે છે કે – “પ્રકૃતિમાં = પ્રધાન તત્ત્વમાં પ્રતિલોમ શક્તિ પણ જો સહજ જ હોય, સ્વાભાવિક રીતે જ હોય તો શા માટે યોગી પુરુષો મોક્ષ માટે પ્રયત્ન કરે છે ? તથા મોક્ષ જો પુરુષ દ્વારા અભિલષણીય ન હોય = પુરુષાર્થ્ય ન હોય = પુરુષાર્થસ્વરૂપ ન હોય તો મોક્ષનો ઉપદેશ કરનારા શાસ્ત્રો વ્યર્થ જશે” આ શંકાના સમાધાન માટે પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે - હ મુક્તિ માટે શાસ્ત્ર જરૂરી-પાતંજલ હ ગાથાર્થ - આ રીતે પ્રકૃતિથી જ મોક્ષ થવાનો હોવા છતાં મોક્ષશાસ્ત્ર વ્યર્થ નહિ બને. કારણ કે મોક્ષપદેશક શાસ્ત્રથી, દુઃખનિવૃત્તિ માટે, પ્રકૃતિના કર્તુત્વનું અભિમાન છૂટે છે. (૧૧/૨૦) 1 ટીકાર્થ :- “પ્રતિલોમશક્તિ પણ પ્રકૃતિમાં સહજ રીતે જ રહેલી હોવાથી મોક્ષ માટે પ્રકૃતિ જ . હસ્તાવ “. સ્ત્રસ્યા.....' સુશુદ્ધ: 8: I ૨. રસ્તાવિર્ષે ‘સન...' ફુટ્યશુદ્ધઃ પાઠ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy