SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ • दिङ्नागमतप्रवेशप्रसङ्गप्रसञ्जनम् २३१ केचित्तु रागादिदोष- ज्ञानाद्यावरणानामनेकत्वाद् विजातीयत्वाच्च क्षीणे रागे या निःशेषहानिप्रतियोगिता सा न क्षीणे द्वेषादौ ज्ञानावरणादौ वा कर्मणि सम्भवतीति पक्षैकदेशे बाधः । एवं हीयमाने रागादौ या तारतम्यवद्धानिप्रतियोगिता सा न हीयमाने द्वेषादौ ज्ञानावरणादौ वा सम्भवतीति पक्षैकदेशे स्वरूपाऽसिद्धिः। न हि घटपटादिध्वंसस्थले घटे या ध्वंसप्रतियोगिता सा पटादौ सम्भवति, तयोर्विजातीयत्वादिति व्याख्यानयन्ति, तदसत् एवं सत्यनुमानमात्रोच्छेदप्रसङ्गात् । 'पर्वतो वह्निमान् धूमादित्यादावपि पर्वतवृत्तिवह्नेर्महानसादावसिद्धत्वात् महानसवृत्तिवनेश्च पर्वते बाधात् । न च वह्नित्वेन साध्यतोपगमान्न दोष इति वक्तव्यम्, प्रकृतेऽपि तादृशप्रतियोगितात्वेन तद्ग्रहणान्न दोष इत्यपि साम्यादिति दिक् । • ननु यथा नैयायिकेन 'आत्मा नित्यः निरवयवद्रव्यत्वादित्युक्ते तत्प्रतिक्षेपार्थं दिङ्नागादिबौद्धाचार्येण ‘किमनित्य आत्मा पक्षीकृतो नित्यो वा ? आद्ये बाधः, अन्त्ये च पक्षाऽसिद्धिरित्युच्यते तद्वदेवाऽस्माभिः ‘दोषाऽऽवरणे निःशेषहानिप्रतियोगिनी तारतम्यवद्धानिप्रतियोगित्वादि 'त्युक्तेऽस्मन्मतप्रतिक्षेपार्थं भवद्भिरपि અને અસિદ્ધિ દોષ દૂર નહિ થાય. કારણ કે અહીં અમારો પ્રશ્ન એ જ છે કે ‘તમે છદ્મસ્થ જીવના દોષ અને આવરણને પક્ષ બનાવો છો કે વીતરાગગત દોષ-આવરણને ? છદ્મસ્થ જીવના દોષ અને કર્માદિ આવરણને પક્ષ બનાવશો તો સ્વરૂપ અસિદ્ધિ દોષ રવાના થવા છતાં પૂર્વોક્ત રીતે બાધ દોષ આવશે જ. તથા વીતરાગના દોષ અને આવરણને પક્ષ બનાવશો તો બાધ દોષ રવાના થવા છતાં પણ પૂર્વોક્ત રીતે અસિદ્ધિ દોષ પણ દૂર નહિ થઈ શકે. માટે ‘ક્વચિત્' પદ લેવા માત્રથી બન્ને દોષનું નિરાકરણ થઈ શકતું નથી. કોઈ એક નિર્ધારિત પક્ષ લેતાં બેમાંથી એક દોષ તો લાગુ પડી જ જાય છે. આ દિફ્નાગમતપ્રવેશ મીમાંસા # દલીલ :- તમે જે રીતે બાધ અને અસિદ્ધિ દોષનું ઉદ્દ્ભાવન કરો છો તેવું કરવામાં તો તમારો દિનાગનામના બૌદ્ધાચાર્યના મતમાં પ્રવેશ થવાની આપત્તિ આવશે. તે આ રીતે - જ્યારે નૈયાયિક વિદ્વાન આત્માને નિત્ય સિદ્ધ કરવા માટે એમ કહે છે કે ‘આત્મા નિત્ય છે, કારણ કે તે નિરવયવ દ્રવ્ય છે.' ત્યારે તેના ખંડનમાં દિફ્નાગ આચાર્ય એવો પ્રશ્ન કરે છે કે ‘નિત્ય આત્મા નૈયાયિકને પક્ષ તરીકે માન્ય છે કે અનિત્ય આત્મા ? નિત્ય આત્માને પક્ષ માનવામાં આવશે તો પક્ષઅસિદ્ધિ દોષ લાગુ પડશે, કારણ કે હજુ સુધી નિત્ય આત્મા સિદ્ધ થયો નથી. તથા જો અનિત્ય આત્માને પક્ષ તરીકે માનવામાં આવશે તો બાધ દોષ લાગુ પડશે, કારણ કે અનિત્ય આત્મામાં નિત્યત્વ રહેતું નથી' બરાબર આ જ રીતે અમે જૈન વિદ્વાને જ્યારે નૈયાયિકને એવું જણાવ્યું કે ‘કોઈક આત્માના દોષ અને આવરણ સંપૂર્ણધ્વંસના પ્રતિયોગી છે કારણ કે તે તારતમ્યવાળા ઉચ્છેદના પ્રતિયોગી છે' ત્યારે નૈયાયિક એવા તમે અમને એવો પ્રશ્ન કર્યો કે → ‘કોઈક આત્માના દોષ અને આવરણ - એવું કહેવા દ્વારા શું તમને છદ્મસ્થ જીવના દોષ-આવરણ પક્ષ તરીકે માન્ય છે કે વીતરાગ જીવના દોષ-આવરણ ? જો છદ્મસ્થ જીવના દોષ આવરણને પક્ષ બનાવશો તો બાધ દોષ આવશે, કારણ કે તેમાં સંપૂર્ણ હાનિની પ્રતિયોગિતા સ્વરૂપ સાધ્ય ગેરહાજર છે. તથા જો વીતરાગના દોષ-આવરણને પક્ષ બનાવશો તો પક્ષ-અસિદ્ધિ દોષ લાગુ પડશે. કારણ કે વીતરાગમાં દોષ કે આવરણ હોતા જ નથી. ← આવું કરવા દ્વારા તો દિફ્નાગ નામના બૌદ્ધાચાર્યના મતમાં તમારો પ્રવેશ થઈ જશે. કારણ કે તેના જેવી જ દલીલ તમે કરો છો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy