SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ T મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત | - જ્ઞાનચંદ – આગમમાં એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખવાળો પાઠ મળતો નથી. છતાં ગણતરી કે માપથી વધારે ઉપકરણ રાખવાનું પ્રાયશ્ચિત્ત નિશીથ સૂત્ર ઉદ્દેશક– ૧૬માં છે. માટે પરંપરા અને ગુરુ આજ્ઞા પ્રમાણે વિવેકપૂર્વક વર્તન કરવું જોઈએ. આવશ્યકતા અનુસાર ઉપકરણો રાખવામાં મૂર્વાભાવ કે સંગ્રહ વૃત્તિ ન રાખવી, તેટલું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આ સંબંધી અન્ય વિસ્તૃત જાણકારી છેદ શાસ્ત્ર, સારાંશ ખંડ-૪માં પરિશિષ્ટ વિભાગમાં આપી છે તે જોઈ લેવું. $ $# છેદસૂત્ર અધ્યયન વાર્તા # # જિજ્ઞોશ :- છેદ સૂત્રો સંબંધી અર્થ પરમાર્થની જાણકારી માટે કયા પ્રકાશનો વાંચવા જોઈએ? જ્ઞાનચંદ – છેદ સૂત્રોનો સર્વાગી અભ્યાસ કરવાથી જ સાધક ગીતાર્થ તથા આચાર શાસ્ત્રોમાં પારંગત બને છે. એટલે સંસ્કૃત પ્રાકૃતના અભ્યાસી જિજ્ઞાસુઓએ છેદ સુત્રો પર પ્રકાશિત ભાષ્ય, ટીકાઓ તથા ચૂર્ણિઓ રૂપ વ્યાખ્યાઓનું અધ્યયન જરૂર કરવું જોઈએ અને ગુજરાતી ભાષાના અભ્યાસીઓએ ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત વિવેચન યુક્ત છેદસૂત્રોનું અધ્યયન કરવું જોઈએ. તે બે ભાગમાં ઉપલબ્ધ છે. (૧) નિશીથ સૂત્ર (ર) ત્રણ છેદ સૂત્ર(દશાશ્રુત સ્કંધ, વ્યવહાર અને બૃહત્કલ્પ સૂત્ર). છે ક & ધોવણ પાણી વાર્તા ] .> જિજ્ઞેશ – દેરાવાસી સાધુ સાધ્વી, ધોવણ પાણી નથી લેતાં અને તેનો નિષેધ કરે છે. સ્થાનકવાસી કોઈ ધોવણ પાણી લે છે, કોઈ ગરમ પાણી લે છે. આવી જુદી-જુદી પરંપરાઓ કેમ? જ્ઞાનચંદઃ- આગમોમાં જણાવ્યા અનુસાર ગરમ પાણી તથા ધોવણમાંથી જ્યારે જે કાઈ પણ સુલભનિર્દોષ મળે તે જ લેવું જોઈએ. આધાકર્મી વગેરે દોષ લાગવાની શક્યતા હોય તો તેવું ધોવણ પણ ન લેવું જોઈએ અને ગરમ પાણી બાબતે પણ આધાકર્મી વગેરે દોષ લાગતો હોય તો તે પણ ન લેવું જોઈએ. એષણા દોષની ગવેષણા સિવાય આનો કોઈ એકાંતિક આગ્રહ રાખવો જોઈએ નહીં. ધોવણ કે ગરમ પાણી સંબંધી અન્ય વિવિધ વિસ્તૃત જાણકારીને માટે છેદ શાસ્ત્ર, સારાંશ ખંડ-૪નું અધ્યયન કરવું જોઈએ. દેરાવાસીઓના પ્રિય કલ્પસૂત્રમાં અઠ્ઠમ સુધીની તપસ્યામાં ધોવણ પાણી પી શકાય તેવો ઉલ્લેખ છે. તો સામાન્ય આહારના દિવસોમાં ધોવણ પાણી પીવાનું સિદ્ધ થઈ જાય છે. તેમ છતાં આ લોકો પોતાની જકડી રાખેલી પરંપરાની અસરમાં સુત્રો Jain Education International For Private & Personal Use Only www.jaine forary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy