SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રપ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત (૩) સ્વાધ્યાય-પ્રતિલેખન પ્રતિક્રમણ પાઠ – હું પ્રતિક્રમણ કરું છું. ચાર કાળ એટલે દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં તથા રાતના પહેલા અને છેલ્લા પહોરમાં સ્વાધ્યાય કરી ન હોય, ઉભયકાલ, બંને વખત-દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં, પાત્રા, વસ્ત્ર આદિ ઉપકરણોનું પડિલેહણ કર્યું ન હોય, અથવા અવિધિથી કર્યું હોય, સ્થાન આદિનું પ્રમાર્જન કર્યું ન હોય અથવા અવિધિથી કર્યું હોય; આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર-દોષ લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. ( મિચ્છામિ દુક્કડ) (૪) તેત્રીસ બોલ પ્રતિક્રમણ પાઠઃ- હું(નીચેના તેત્રીસ બોલોનું) પ્રતિક્રમણ કરું છું. જેમ કે– એક પ્રકારના અસંયમનું રાગ અને દ્વેષ બે બંધનનું મન, વચન, કાયા, આ ત્રણ દંડોનું માયા, નિયાણું અને મિથ્યાત્વ આ ત્રણ શલ્યનું રસ, ઋદ્ધિ, શાતા આ ત્રણ ગર્વનું મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિનું અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણની વિરાધનાનું પ્રતિક્રમણ કરું છું. ચાર કષાય, ચાર સંજ્ઞા, ચાર વિકથા અને ચાર ધ્યાનનું પ્રતિક્રમણ કરું છું. કાયિકી આદિ પાંચ ક્રિયા, શબ્દ આદિ પાંચ કામ ગુણ, અહિંસા આદિ પાંચ મહાવ્રત અને ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિનું પ્રતિક્રમણ કરું છું. છ કાય અને છ વેશ્યા, ૭(સાત) ભય અને ૮(આઠ) મદનું પ્રતિક્રમણ કરું છું. આવી રીતે નવ બ્રહ્મચર્યની વાડ, દસ યતિધર્મ, ૧૧-શ્રાવક પડિયા, ૧૨–ભિક્ષપડિમા, ૧૩–ક્રિયા સ્થાન,૧૪-જીવના ભેદ, ૧૫–પરમાધાર્મિકદેવ ૧૬–સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન, ૧૭–અસંયમ. ૧૮-અબ્રહ્મચર્ય, ૧૯-જ્ઞાતાસૂત્રના અધ્યયન. ૨૦–અસમાધિ સ્થાન. ૨૧-સબલ દોષ, રરપરીષહ, ર૩–સૂયગડાંગસૂત્રના કુલ અધ્યયન. ૨૪–ચાર જાતિના દેવ, ૨૫પાંચ મહાવ્રતોની ભાવના, ર–ત્રણ છેદ સૂત્ર (દશા, કષ્પ, વ્યવહાર)ના અધ્યયન, ૨૭-અણગારના ગુણ. ૨૮–આચાર પ્રકલ્પ, ૨૯-પાપ સૂત્ર, ૩૦મહામોહનીયના બંધ સ્થાન, ૩૧-સિદ્ધોના ગુણ, ૩ર–યોગ સંગ્રહ. ૩૩– આશાતના. આ ઉપરના બોલોમાંથી જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આદરવા યોગ્ય આદર્યા ન હોય અને ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય તો તે સંબંધી મારું પાપ મિથ્યા થાઓ. ( મિચ્છામિ દુક્કડ). નોંધ:- આ તેત્રીસ બોલોનો વિસ્તાર આચાર શાસ્ત્ર સારાંશ ખંડ-૩માં જુઓ. (૫) નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન, પ્રતિક્રમણ પાઠ (છો વાવીસT) :હું ઋષભદેવથી લઈને મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરું છું. આ નિગ્રંથ પ્રવચન જ સત્ય, અનુત્તર, અદ્વિતીય(અજોડ), પ્રતિપૂર્ણ, મોક્ષમાં લઈ જનારું સર્વતઃ શુદ્ધ છે. માયા, નિયાણું અને મિથ્યાદર્શન; આ ત્રણ શલ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy