SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કાઉસ્સગ્ગ પછી હોમ્સ ગણવાના પ્રમાણ– (૧) ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન–૨૬ (૨) દશવૈકાલિક સૂત્ર, અધ્યયન---૫ ઉદ્દેશક—૧ (૩) આવશ્યક સૂત્રમાં, બંને કાઉસ્સગ્ગની પછી. (૪૦) પ્રશ્ન :– પાખી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસોમાં બે પ્રતિક્રમણ કરવા જોઈએ ? ર૪૪ જવાબ :– ૨૪મા તીર્થંકરના શાસનના સાધુ સાધ્વી હંમેશા બંને સમય પ્રતિક્રમણ કરે છે. તેના માટે આ બે પ્રતિક્રમણ કરવાની વાત વ્યર્થ એવું આગમ વિપરીત છે. મધ્યના ૨૨ તીર્થંકરના શાસનના સાધુ સાધ્વી હંમેશાં પ્રતિક્રમણ આવશ્યક રૂપથી કરતા નથી તેને આ પર્વના દિવસોમાં પ્રતિક્રમણ કરવું આવશ્યક હોય છે. ત્યારે તે પહેલાં દેવસી, પ્રતિક્રમણ કરે છે અને બીજું તે પર્વ દિવસનું પ્રતિક્રમણ કરે છે. એક જગ્યાની વાતને બીજી જગ્યાએ બંધ બેસતી કરી દેવી બુદ્ધિનો ભ્રમ છે. એવું કરવું ન જોઈએ. આ વિષયની પ્રાસંગિક વાર્તા જ્ઞાતા સૂત્રમાં એટલે સારાંશ ખંડ–૧ કથાશાસ્ત્રમાં જુઓ. (૪૧) પ્રશ્ન :-- પ્રતિક્રમણમાં સામાયિક કરવી આવશ્યક છે ? જવાબ :- સામાન્યતયા સામાયિક યુક્ત જ પ્રતિક્રમણ કરવું આગમ આશયયુક્ત છે. વિશેષ પરિસ્થિતિમાં સામાયિક વિના પણ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. અર્થાત્ સામાયિક કરવા જેટલો સમય અથવા પ્રસંગ ન હોય તો. (૪૨) પ્રશ્ન :– ૧૨ વ્રતધારી શ્રાવકોએ જ પ્રતિક્રમણ કરવું જોઈએ ? જવાબ ઃ- એક વ્રતધારી અથવા ૧૨ વ્રતધારી કોઈપણ શ્રાવકને પ્રતિક્રમણ કરવામાં કોઈ વાંધો નથી. હા ! ૧૨ વ્રતધારીને યથા સમય પ્રતિક્રમણ કરવું આવશ્યક હોય છે. પ્રતિક્રમણના સ્વરૂપનું જ્ઞાન કરાવતાં કરાવતાં તેની વ્યાખ્યામાં ત્રણ વૈદ્યોનું દષ્ટાંત આપવામાં આવ્યું છે— ૧. પ્રથમ વૈધની દવા-રોગ હોય તો સારૂં કરે નહીંતર નવો રોગ ઉભો કરે. ૨. બીજા વૈધની દવા-રોગ હોય તો સારૂં કરે નહીંતર કંઈ ન કરે. ૩. ત્રીજા વૈધની દવા-રોગ હોય તો સારૂં કરે નહીંતર શરીરને પુષ્ટ કરે. પ્રતિક્રમણને ત્રીજા વૈધની દવાની સમાન બતાવ્યું છે. એટલે વ્રત હોય અથવા વ્રત ન હોય, અતિચાર લાગ્યા હોય અથવા ન લાગ્યા હોય પ્રતિક્રમણ કરવામાં સાંભળવામાં લાભ જ છે, હાનિ નથી. એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે. જે શ્રાવકે જે જે હોંશથી ત્યાગ પ્રત્યાખ્યાન લીધા છે તેણે નાના મોટા બધા નિયમોની એક યાદી બનાવીને રાખવી જોઈએ અને તેને યોગ્ય સમય પર્વ દિવસોમાં ચિંતનપૂર્વક અવલોકન કરવું જોઈએ કે મારા આ બધા વ્રત પચ્ચક્ખાણનું શુદ્ધ પાલન થઈ રહ્યું છે ? જો સંભવ હોય નો પ્રતિદ્વuાગના પ્રમે ઢાઉubhum uba ઝેન u પ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy