SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત | વાંચન કરે તેય વળી ગૃહસ્થ પરિષદમાં, એવું દુઃસાહસ પણ પોતાના પૂર્વાચાર્યો પાસે કરાવે !! આ બધું કેવી રીતે સ્વીકારી શકાય? આ બધું કરવું-કરાવવું એટલે જાણે જીવંત માખીને ગળી જવા જેવું થાય નહીં? (૧૩) ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી નિશીથ સૂત્રના ૧૦મા ઉદ્દેશામાં અપર્યુષણોમાં પર્યુષણ કરવાનું તથા પર્યુષણમાં પર્યુષણ ન કરવાને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહે તો આ આઠમી દશામાં એમ કેમ પાછું કહે કે પહેલા પર્યુષણ(સંવત્સર) કરવામાં કોઈ દોષ નથી લાગતો? (૧૪) શું ભદ્રબાહુ સ્વામીની રચનામાં અને ભગવાનના મુખેથી કહેવાયેલ આ અધ્યયનમાં એવું કથન ઉપયુક્ત છે કે “શ્રમણ ભગવાન મહાવીરે પર્યુષણ કર્યું તેવી રીતે (એક મહિનો અને ઉપર ૨૦ દિવસ પછી) ગણધરો કરતાં, તેવી રીતે ગણધર શિષ્યો પણ કરતાં, તે જ રીતે સ્થવિરો કરતાં, તે જ રીતે આજના સાધુ કરે, તે જ રીતે આપણા આચાર્ય, ઉપાધ્યાય કરે, તે જ પ્રમાણે અમે પણ કરીએ છીએ” ઇત્યાદિ ભાવ પર્યુષણા કલ્પસૂત્રની સમાચારી વર્ણન આદિ સૂત્રમાં છે. તો પણ આ પાઠને ભગવાન કે ભદ્રબાહુના નામથી માનવો કેવી રીતે ઉચિત હોઈ શકે? નિર્યુક્તિકારે આવી પરંપરાયુક્ત મૂળ પાઠની વ્યાખ્યા કરી નથી. અમારા આચાર્ય ઉપાધ્યાય કરતાં તેમ અમે કરીએ, અહીં “અમે” કહેવાવાળા કોણ છે? સ્વયં તીર્થકરના કથનમાં પણ આગમોમાં અદં પુખ જોયમાં; તયા હિંયમ એવો પ્રયોગ છે, તો આ પાઠમાં વર્ષ કહેનાર છે કોણ? આવી કલ્પિત શ્રૃંખલા ભદ્રબાહુની હોઈ શકે, કે પ્રક્ષિપ્ત કરેલી છે? (૧૫) નંદી સૂત્રમાં ૭ર આગમોના નામો છે તો ૪૫ માનવાનું કયું કારણ છે. લગભગ ૨૦ પ્રકીર્ણક આજે પણ ઉપલબ્ધ છે, તો ૧૦ને જ આગમ માનવા અને ૧૦ને નહીં? નંદીસૂત્રમાં નામો હોવા છતાં તે પ્રકીર્ણકોને આગમ ન માનવામાં શું કારણ? (૧૬) હરિભદ્રસૂરિ, મલયગિરિ, આચાર્ય હેમચંદ્ર વગેરે યુગપ્રધાન ધુરંધર વિદ્વાનોની ઉપલબ્ધ રચનાઓને આગમમાં કેમ નથી ગણવામાં આવતી? પંચાંગી સિવાય પણ અનેક ગ્રંથ છે. (૧૭) સૂર્ય પ્રજ્ઞપ્તિમાં માંસ ભોજન વિષયક પાઠ પ્રક્ષિપ્ત હોવા છતાં પણ તેને કેમ માનવામાં આવે છે? (૧૮) આચારાંગ સૂત્રનું આઠમું અધ્યયન ઓછું હોવા છતાં, અર્થાત્ આ સૂત્ર ખંડિત હોવા છતાં તેને આગમ કેમ માનવામાં આવે છે? (૧૯) પ્રશ્નવ્યાકરણમાં નંદી તથા સમવાયાંગ કથિત વિષય ન હોવા છતાં પણ તેને આગમમાં કેમ માનવામાં આવે છે? (૨૦) ૪૫ આગમમાં કેટલાય આગમોના રચનાકારના, તેમની રચના સમયનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy