SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત : જેનો સંકેત સમવાયાંગ અને પુણ્યવિજયજી સંપાદિત આ અધ્યયનની રમી નિર્યુક્તિ ગાથાની ચૂર્ણિથી સ્પષ્ટ થાય છે. (૨૩) દેવર્ધિગણિએ પોતે સૂત્રમાં ખુદને વંદન કર્યા હોય એ શક્ય નથી, એટલે તે અન્યની કૃતિ છે તેવુંમાની શકાય. “દેવર્ધિગણિએ સુધારો વધારો કરીને સ્થવિરાવલીનું અંતિમરૂપ રચ્યું’ આ કથન પણ વ્યર્થ કલ્પના કરવા જેવું છે ! દેવર્દ્રિગણિ અને દેવવાચક એક જ વ્યક્તિ છે, તેવું પૂર્વાવાચાર્યોનું માનવાનું હતું. ન માનવામાં આવે, તો પણ એ બંને સમકાલીન હતાં તેમ કહી શકાય. દેáિર્ગાણ વીર નિર્વાણ ૯૮૦ તથા ૯૯૩ ના મધ્યમાં થયા અને તેમણે આગમ લેખન કાર્ય શરૂ કરાવ્યું દેવવાચક પણ નંદીસૂત્રમાં સ્કંદિલાચાર્યના પછી ડ઼ મહાપુરુષોને વંદન ગુણગ્રામ કરીને, દૂષ્યગણિનું કીર્તન કરે છે. ઇતિહાસ તથા કાળગણનાથી દૃષ્યગણને વંદન કરનારા એ સમયના જ સંભવે છે એટલે નંદીસૂત્ર રચનાકાળ અને આગમ લેખન કાળ લગભગ સમકાલીન જણાય છે. દેવર્કિંગણિ, ભદ્રબાહુ રચિત આઠમી દશામાં આવું મિશ્રણ શું કામ કરે? સ્વતંત્ર પર્યુષણા કલ્પસૂત્ર બનાવેલ હોત તો ૮૪ આગમમાં, ત્રણ કલ્પસૂત્રની જગ્યાએ ચોથું પર્યુષણા કલ્પસૂત્રનું નામ પણ સામેલ હોત. વળી પોતાને પોતે કેમ વંદે ? માટે આ કલ્પ સૂત્રને દેવર્દ્રિગણિ સુધી ખેંચીને તેમાં સુધારા વધારા કરવાની બાબતોમાં કલ્પના અને પરંપરા વિગેરેની વાતો મહત્વપૂર્ણ નથી પરંતુ વ્યર્થ જ વિચાર દષ્ટિ છે. જે ઉપરોક્ત ચર્ચાઓથી સ્પષ્ટ થાય છે. (૨૪) આ ઇતિહાસ સંગ્રહ કરનારાઓએ નંદીસૂત્રની યુગ-પ્રધાનાવલી તથા કેલ્પ સૂત્રની સ્થવિરાવલીની પછી શ્રી ધર્મઘોષસૂરિષ્કૃત સ્તોત્રગત પટ્ટાવલીને ત્રીજા સ્થાને લઈ તેની રચના તેરમી શતાબ્દીની ગણાવી છે. ‘કહાવલી’ ગ્રંથની પટ્ટાવલીને ત્રીજા નંબરના સ્થાને લીધી નથી એટલે તે ‘કહાવલી’નું સ્થાન કદાચ ચોથું હોઈ શકે. તેથી તે પટ્ટાવલી તેરમી શતાબ્દી પછીની અર્થાત્ ૧૪મી શતાબ્દીની રચના હોઈ શકે. (૧) કલ્પસૂત્રની (૨) નંદીસૂત્રની (૩) સ્તોત્રગત પટ્ટાવલી (૪) કહાવલીગત પટ્ટાવલીઓ વગેરે ઇતિહાસ ચિંતકોની કલ્પના છે. વાસ્તવમાં પ્રથમ ક્રમ સ્તોત્રગત, દ્વિતીય ક્રમમાં કહાવલીગત પટ્ટાવલી તથા ત્રીજા ક્રમમાં કલ્પસૂત્ર ગત સમજવું. (૨૫) પુણ્યવિજયજીએ બૃહત્કલ્પ ભાષ્ય ભાગ–ની પ્રસ્તાવનામાં પ્રમાણ ચિંતન સહિત સ્પષ્ટ નિર્ણય આપેલ છે. જે તેના ઊંડા અધ્યયન, ચિંતન-મનનનું પરિણામ છે. તે પ્રસ્તાવનાના પ્રકાશનની પૂર્વે કોઈના નિરીક્ષણ તથા ઉપાલંભના કંઈક પ્રમાણ તર્ક કે બુદ્ધિ પ્રભાવથી તે છઠ્ઠા ભાગમાં જ ‘આમુખ’ લખ્યું છે, જે વિચારણાની કસોટી પર ખરૂં ઉતરતું નથી. તેમજ ત્યારપછીની તેમની સંપાદનવાળી દશવૈકાલિક ચૂર્ણિની પ્રસ્તાવનાથી તે ખંડિત થઈ જાય છે. દશવૈકાલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy