SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમનવનીતા રીતે મધમાંસ વિષયના પાઠ તથા અન્ય અસંગત વાતો માટે પણ સમજી શકાય છે. ત્યારે જ આચારાંગ, દશવૈકાલિક, ભગવતી, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રોની શુદ્ધિ થઈ શકશે. (૪) અગ્રાવતારનું કથન કોઈ પણ શાસ્ત્રમાં ન હોવાથી સાર્વત્રિક વિધિરૂપમાં મહત્વ દેવા લાયક નથી અને ચોલપટ્ટક રાખવાનું આગમ પ્રશ્નવ્યાકરણ સૂત્રથી પ્રમાણિત થાય છે. (૫) “ભદ્રબાહુના સૂત્રમાં સાધ્વીઓને આચાર પ્રકલ્પ વાંચવાનું વિધાન હોવાથી આર્યરક્ષિતે તે વિધાન બદલ્યું નહીં, પરંતુ મૌખિક આજ્ઞા લગાડી' જે આજ સુધી ચાલે છે. જેથી આજે પણ સાધ્વીઓને છેદસૂત્ર ભણાવાતું નથી. –પ્રબંધ પારિજાત ટિપ્પણ:- ચૌદ પૂર્વીની આજ્ઞા આજ સુધી સૂત્રમાં ઉપલબ્ધ રહી અને તેનાથી વિરુદ્ધ સાડા નવ પૂર્વીની આજ્ઞા પણ ચાલતી રહી, આવો ખોટો ઇતિહાસ તે પૂર્વાચાર્યોને પણ બદનામ કરે છે અને આગમ અને ઈતિહાસના મહત્વને નષ્ટ કરે છે. (૬) આચાર્ય કાલક અને દેવદ્ધિનો વિવાદ સમાપ્ત ન થયો. બંને પોતપોતાની જગ્યાએ અડગ રહ્યા. એટલે કલ્પસૂત્રમાં ૯૮૦ અને ૯૯૩ બે સંવત બતાવવી પડી. - પ્રબંધ પારિજાત. ટિપ્પણ – સૂત્ર લેખનકાળની બે સાધુઓની સમસ્યાને ભદ્રબાહુના સૂત્રમાં, તે પણ વચમાં લાવવાની શી જરૂર પડી? ત્યાં તો વચ્ચે તે સૂત્રનો વિષય પણ ચાલતો નહોતો ! કોઈ પાઠ ભેદનું કે વાચના ભેદનું કારણ પણ નહોતું અને જો કદાચ કારણ હોય તો પણ અનેક સંદિગ્ધ અનિર્ણિત વિષય-સૂત્રોથી બહાર કાઢયા હતા, ત્યારે આ તો કોઈ પાઠ પણ નહોતો ! પછી નકામી બનેની સમસ્યા સુત્રની વચ્ચે જબરજસ્તી કેમ નખાય? અને એજ સમસ્યા પછી આગળ જતાં પાર્શ્વનાથ તથા નેમિનાથ ભગવાનના વર્ણનમાં ક્યાં ગાયબ થઈ ગઈ?દેવદ્ધિગણિ દ્વારા આવું પદ્ધતિ વિરુદ્ધ કાર્ય થયું, એવી કલ્પના કેમ કરી? જ્યારે ભદ્રબાહુના સૂત્રમાં તત્સંબંધી કોઈ પાઠ હતો જ નહીં તો આવી અપ્રાસંગિક ચર્ચા વિચારણા કેમ ઉભવી? “બધાથી અંતમાં કલ્પસૂત્ર લખવાની” કલ્પના પણ બિનજરૂરી છે. તે સમયે તો એ કલ્પસૂત્રદશાશ્રુતસ્કંધનું એક અધ્યયન માત્ર હતું, તેમાં જ તેનો નંબર આવી ગયો હતો. ત્યાર પછી તો અનેક સૂત્રોના નંબર હતા જ. જ્યારે મૂળ સૂત્ર પાઠોના વિવાદમાં તે બંને આચાર્યોએ કોઈદુરાગ્રહનહોતો રાખ્યો. તો પછી તેમના નામે ઇતિહાસને પ્રદૂષિત કરવાનો શો અર્થ? સંવત સંબંધી ઇતિહાસની કલ્પનાઓ કે કલ્પસૂત્રની બાબતો બધી મૂળ થી જ આધાર વિનાની છે. એટલે એવી બાબતો માટે થઈદેવદ્ધિગણિ, કાલકાચાર્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy