SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીતા પંથોમાં, સાહિત્ય રચનાઓને રાગ-દ્વેષ કે મોહના પરિણામોથી યુક્ત કરવામાં આવી છે. જેમાં વિશ્વસનીય અને અવિશ્વસનીય કેટલીય ઘટનાઓના વૃત્તાંત ઇતિહાસરૂપે ઘડી નાખેલા છે.”– પ્રબંધ પારિજાત.(શ્રી કલ્યાણ વિજય રચિત) આવી ઘણી બાબતોને મૂર્તિપૂજક મુનિ શ્રી કલ્યાણવિજયજીએ ઘણા જ ભારપૂર્વક ખોટી ઠરાવી છે તથા મધ્યકાલીન મહાપંડિતોની પંડિતાઈને ખોટી ઠરાવી, તેમના જૂઠા શાસ્ત્રોને આહ્વાન આપેલું છે. તેમણે દિગંબર તથા શ્વેતાંબર બંને માટે પણ ઘણું લખ્યું છે. સારાંશ એટલો જ કે દેવર્ધ્વિગણિ પછીના સમયમાં કેટલાક ઇમાનદાર શાસ્ત્રીય વ્યાખ્યાકાર પણ થયાં. તો બીજા વળી એવાં હતાં જેમણે પોતાના મત તથા પોતાની પ્રવૃત્તિઓને ભવિષ્યમાં આગળ ચલાવવા ખોટા માપદંડો ઠેરવ્યાં અને પોતાની વાત સાચી ઠેરવે તેવા સાહિત્યની રચના કરી, શિલાલેખ લખાવ્યાં, મૂર્તિઓ બનાવરાવી, તત્ત્વ વિવેચન કર્યું, કલ્પિત કથાઓ કરી તથા કલ્પિત મહાવીર ગૌતમ સંવાદ ઘડ્યો, પૂર્વેના ઈતિહાસને કલ્પિત તથા સત્યમિશ્રિત બંને રીતે જોડી દીધો, વર્તમાન તથા ભૂતકાળની પટ્ટાવલીઓને અતિશયોક્તિ યુક્ત કલ્પનાઓવાળી બનાવી અને પોતાની આપવડાઈ કરી બીજાની નિંદા કરીને ઘણી લેખન સામગ્રી ભેગી કરી. મધ્યકાળ આવો હતો. મધ્યકાલના ચેડા કરનારા પંડિતોએ પોત-પોતાના મહત્વને વધારવા જે કર્યું તે ઠીક, પણ આગમોના નામે ધાર્મિક ભ્રમો પણ ચલાવ્યાં. કોઈકની રચના બીજાના નામે કરવાની શરૂઆત પણ કરી અને ક્યાંક Íમોત્થણં તથા મૂર્તિઓનો પાઠ અને ક્યાંક ચૈત્ય, અરિહંત વગેરે શબ્દો ઉમેરવામાં આવ્યા. ક્યાંક જીતાચાર કે અપવાદના આચરણની આગળ હંમેશાને માટે (જે આગમ વિપરીત કે પ્રાયશ્ચિત્ત રૂપ છે તોપણ તેની) દઢતા પકડી અને તે માટે જ કલ્પસૂત્રમાં ચોથની સંવત્સરીનો પાઠ ઉમેરવામાં આવ્યો. કાલકાચાર્યના નામે પણ ઘણી સાચી ખોટી વાતો જોડી દીધી. કલ્પસૂત્રને દશાશ્રુતસ્કંધના અધ્યયન તરીકે ઘડી દેવામાં આવ્યું. મહાનિશીથ જેવી અસંબદ્ધ રચના કરીને મહાન આચાર્યોની સંમતિની અસત્ય છાપને મૂળપાઠમાં જોડી દીધી. તેવી જ રીતે કેટલાય મહાન રાજાઓના જીવન વૃત્તાંતની સાથે દેરાસર, ચેત્ય પૂજાને વણી લીધી. જ્યારે ૧૪ પૂર્વી કે ૧૦ પૂર્વી કે ગણધરકૃત જે આગમ છે, તેમાં કોઈપણ સાધુ કે શ્રાવકના જીવનમાં દેરાસર બાંધવાની કે બંધાવવાની પ્રેરણા અને તે દ્વારા જલ્દીથી મોક્ષ પ્રાપ્ય થાય તેવું કોઈ કથન લેશમાત્ર પણ નથી. એજ આગમોક્ત વ્યક્તિઓના જીવનની કથાઓમાં પાછળથી આચાર્યોએ દેહરાં બાંધવા સંબંધી ખોટી વાર્તા ઘડી નાખી. ઉપલબ્ધ આગમોમાં સાધુના આચાર વિશે કેટલાય સૂત્રો છે, દિનચર્યાઓનું વર્ણન પણ છે; શ્રાવકોની ઋદ્ધિઓનું વર્ણન પણ છે; શ્રાવક સાધુના ત્યાગ-તપ, પડિમા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy