SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૧૪૦ સાત મહાપુરુષોનો અંતરકાળ ૧૫૦ વર્ષનો થાય છે. ૧૫૦ વર્ષનો કાળસમય ત્રણ પ્રકારથી જણાય છે– (૧) નાગાર્જુન તથા ભૂતદિન આ બંને થી પૂર્ણ થાય છે (૨) ઔદિલથી દુષ્યગણિ સુધી નાગાર્જુન અને ભૂતદિન સહિત સાત મહાપુરુષોથી પૂર્ણ થાય છે. (૩) કલ્પસૂત્રગત ધર્મસિંહ અને સાંડિલ્ય બે વ્યક્તિથી પૂર્ણ થાય છે. સાંડિલ્યના શિષ્ય તરીકે દેવર્કિંગણિને માનીએ તો નંદીસૂત્રમાં તેમના ગુરુ તરીકે સાંડિલ્ય નામ હોવું જોઈએ તે નથી. વળી કલ્પસૂત્રમાં તો દુષ્યગણિ સુધીના નંદી સૂત્રોક્ત તે સાતેય મહાપુરુષોમાંથી એકનું પણ નામોનિશાન નથી. આવી ઘણી બધી કલ્પનાઓ તથા સમસ્યાઓ મૂળ સત્યને સમજ્યા વિના દૂર થાય તેમ નથી. જો નંદીસૂત્ર અને કલ્પસૂત્રના કર્તા એક છે, તો તે દૂષ્યગણિના શિષ્ય છે કે સાંડિલ્યના? આ વાતનું કોઈ સંતોષકારક સમાધાન થતું નથી, વળી કલ્પસૂત્રમાં દેવર્ધ્વિગણિને પણ વંદન કર્યા છે– જે એક જટિલ સમસ્યા ઉભી કરે છે, સાથે સાથે સત્ય સમાધાનને ઉજાગર કરનારી બાબત છે. સમાધાન – નંદીસૂત્રમાં કોઈ પણ પ્રકારની આવલિકા નથી અર્થાત્ સ્થવિરાવલી યુગપ્રધાનાવલી, ગુર્નાવલી અથવા પટ્ટાવલી નથી. અર્થાત્ ક્રમ કે સમયની કોઈ સમસ્યા ત્યાં ઊભી થતી નથી અને ઊભી કરવાનું પ્રયોજન પણ નથી. વાસ્તવમાં નંદીકર્તાએ ઉક્ત કોઈપણ ગુર્વાવલી વગેરેની પ્રતિજ્ઞા પણ કરી નથી. વળી કોઈ અન્ય રચનામાં પણ તેમણે ક્યાંય કહ્યું નથી કે મેં નંદીસૂત્રમાં ગુર્નાવલીનું કથન કર્યું છે. નંદીસૂત્રમાં નામ સહિત ગુણગ્રામમાં તથા અંતમાં જે કોઈ પણ સંકેત સૂચિત કરેલ છે તેમાંથી એટલું જ સિદ્ધ થાય છે કે નંદીસૂત્ર કર્તાનું લક્ષ્ય કોઈપણ પ્રકારની આવલિકા બનાવવાનું નહોતું, કેમ કે તેમણે એવો કોઈ શબ્દ પ્રયોગ ન કરતાં ફક્ત કાલિક શ્રુત તથા તેના અનુયોગને ધારણ કરનારા વિખ્યાત બહુશ્રુતોનું સ્મરણ કર્યું છે તથા ગુણ-કીર્તન, વંદન વગેરે કર્યા છે. આ વર્ણનમાં તેમણે ક્યાંક સમકાલીન બે અથવા ત્રણ મહાપુરુષોનું પણ કથન કર્યું છે તો ક્યાંક આર્ય-રક્ષિતથી(ર૫૦) અઢીસો વર્ષના કાળમાં કેવળ ચાર જ મહાપુરુષોના નામ આપ્યાં છે અને પછીના(૧૫૦) દોઢસો વર્ષમાં સાત નામ પણ કહ્યાં છે. જેમાના ૭માંથી બેની ઉમર લાંબી ૭૮ અને ૭૯ વર્ષની હતી. અર્થાત્ ક્રમ અને કાળ તથા આવલિકાનો આગ્રહ છોડી દેવાથી કેટલીય સમસ્યાઓ આપોઆપ બંધ થઈ જાય છે, અન્યથા કેટલોય કાળ તથા પાટ પરંપરાના જમાનાની વિગતો બુદ્ધિની એરણ પર ચઢે અને કલ્પનાઓ તથા તર્કવિતર્કમાં પડતાં સમસ્યાઓ વધારે જટિલ બને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy