SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત આઠવાર ઉત્પન્ન થવું કઠોર વજશિલાપીંડોની વચ્ચે પીડાતા રહેવા છતાં એક વર્ષ પહેલાં પ્રાણનો ત્યાગ ન થાય તેવું વગેરે. પરંતુ વૃદ્ધોનું કથન એ છે કે “આ સૂત્ર આર્ષ છે. આમાં કોઈપણ વિકૃતિ થઈ નથી અને આમા વિશિષ્ટ પ્રકારના ગણધરોના વચનો પણ છે. એટલે આ સૂત્રના વિષયમાં કોઈપણ શંકા કરવી ઉચિત નથી.” એક બે નહીં પણ કેટલીય બાબતો છે, જે અન્ય સૂત્રોથી પ્રમાણિત ન કરી શકાય. જેનું પ્રાયશ્ચિત્ત નિરૂપણ તો છેદ સૂત્રોથી મેળ જ ખાતું નથી. આથી એટલું તો ચોક્કસ પ્રમાણિત થાય છે કે “મહાનિશીથ' ખંડિત મહાનિશીથનો એક અવશેષ નથી પરંતુ એક સ્વતંત્ર કૃતિ છે. પૃષ્ટ–૯૨. (૩) જ્યાં આવશ્યક ચૂર્ણિમાં પ્રાયશ્ચિત્તનું નામોનિશાન નહોતું ત્યાં ૨૦૦ વર્ષ પછી નિશીથ વિશેષ ચૂર્ણિમાં લઘુમાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું(પ્રતિક્રમણ કર્યા પછી જ્યાં ચૈત્ય હોવા છતાં પણ વંદન કરે તે) અને પ્રતિક્રમણના પ્રારંભમાં ચૈત્યવંદનનું કોઈ સૂચન જ નથી. જે પછીથી મહાનિશીથમાં આવ્યું કે ચૈત્યવંદન કર્યા પછી જ પ્રતિક્રમણ કરવું અન્યથા ઉપવાસનું પ્રાયશ્ચિત્ત સમજવું. મૌલિક છેદસૂત્રોમાં દેવ (ચેત્ય) વંદન કરવું કે ન કરવું એવી કોઈ ચર્ચા જ નથી. તો પછી પ્રાયશ્ચિત્તની વાત ક્યાંથી આવી ? સમય જતાં વિક્રમ સંવત ૧૧મી સદી પછી સમાચારીઓમાં ૭ વખત ચૈત્ય વંદન કરવાનું નિશ્ચિત્ત થયું. ત્રિકાળ ચૈત્યવંદન ન કરે તો એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત અને બીજીવાર ભૂલ થાય તો છેદનું પ્રાયશ્ચિત્ત, ત્રીજીવાર મૂળ પ્રાયશ્ચિત્ત અને અવિધિથી કરે તો પારાંચિત પ્રાયશ્ચિત્ત”. અધ્યયન-ક્રમાં. (૪) ભગવાનનું મેરુ પર્વતને હલાવવાનું કથન કરેલ છે– અધ્યયન-૪માં. (૫) અધ્યયન છઠ્ઠામાં કેવા ગુરુને ગચ્છપતિ બનાવવા તે અંગે વિસ્તૃત લક્ષણગુણો કહ્યાં છે. આ અધ્યયનમાં ચૈત્યવાસની ઉત્પત્તિનું વિસ્તૃત વર્ણન છે. પ્રાયશ્ચિત્ત વર્ણન પણ છે. (૬) જે કોઈ હરિયાળી, બીજ, પુષ્પ કે ફળનું પૂજાથે મહિમાથે કે શોભાર્થે સંગ્રહણ સ્પર્શ આદિ કરે, કરાવે, ઉક્ત લીલોતરીનું છેદન કરે, કરાવે, સંગ્રહ અને છેદન કરનારાઓનું અનુમોદન કરે તો આ સર્વ સ્થાનોમાં ગાઢ-પ્રગાઢ ભેદથી યથાક્રમથી ઉપસ્થાપના, પણ(છઠ્ઠ), ચઉત્થભક્ત, આયંબિલ, એકાસણું, નીવીનું પ્રાયશ્ચિત્ત દેવું.” (૭) મહાનિશીથના નિર્માતા જો સુવિહિતાચાર્ય હોત તો ઉપધાનના અંતે જિન ચૈત્યમાં નંદીની ક્રિયા કરી શ્વેત તાજા ફૂલોની માળા "જિન"ના પૂજાદેશથી પોતાના હાથોમાં લઈને ગૃહસ્થના ગળામાં પહેરાવવાનું વિધાન ક્યારેય કરત નહીં. આથી એટલું જરૂર સમજાય છે, કે રચયિતા પોતે ખુદ શિથિલાચારીઓની પંક્તિના વિદ્વાન હતા. શિથિલાચારીઓને પણ ક્યારેક બીજા શિથિલાચારીઓની કેટલીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy