SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તથા અન્ય વિલેપનના પદાર્થોને રાત્રિમાં રાખવાનો નિષેધ તથા પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાનું મૂત્ર લઈ પીવાનું કે અન્ય ઉપયોગ કરવાનું પણ સૂત્રમાં વિધાન મળે છે. અતઃ શુચિધર્મી જનસાધારણની નકલ કરીને ધાર્મિક ક્રિયાઓનો એકાંત નિષેધ કરવો તે આગમ સંમત નથી. ધુરંધર વિજય ઃ– પંડિતજી! અમે તો સંવત્સરીના દિવસે પણ રજસ્વલા બહેનોને ધર્મ આરાધના કરવાની પૂર્ણતઃ ના પાડીએ છીએ, તેઓ એક નમસ્કાર મંત્ર પણ ભણી ન શકે. ખરેખર તેમને નિષેધ છે ? ૧૦૨ પંડિતજી :- મુનિરાજ ! આ અર્વાચીન નકલ થયેલી પરંપરા છે, જે આગમોથી અને ભાષ્ય વ્યાખ્યાઓથી પણ વિરુદ્ધ છે. ઉપર કહેલ રાજેન્દ્ર કોષના સ્પષ્ટીકરણોથી પણ વિરુદ્ધ છે. પૂજ્ય મુનિરાજ આપ ચિંતન કરો કે પૌષધ, સામાયિક કે સંયમ લીધા પછી માસિક ધર્મ હોય તો તે વ્રત શું ખંડિત થઈ જાય છે ? તો પછી તે બાબતનો નિષેધ કેમ ? સ્વાધ્યાય કરતી વખતે જો કોઈ અસ્વાધ્યાયનું કારણ બની જાય તો તેનું જ્ઞાન થતાં સ્વાધ્યાય તરત જ રોકી શકાય છે. પરંતુ સંયમનો કે સામાયિક, પૌષધ કે પ્રતિક્રમણનો ત્યાગ કરવાની જરૂર નથી. એટલે અસ્વાધ્યાયનો સંબંધ સૂત્ર પાઠના અધ્યયન સાથે જ છે પરંતુ ધાર્મિક ક્રિયાઓ સાથે નથી, એવું સમજવું જોઈએ અને લોકમાન્યતાને ધર્મ સિદ્ધાંતમાં આરૂઢ કરવી જોઈએ નહીં. કેમ કે તેમ કરવાથી નિષ્પ્રયોજન જ ધર્મ આરાધનામાં અંતરાય થાય છે અને તે આગમ વિરુદ્ધ છે. કેવલ મુનિ ઃ— જી હા પંડિતજી ! વાસ્તવમાં આવું કરવાથી ઘણી મોટી અંતરાય લાગે છે. સંવત્સરી મહાપર્વના દિવસે અઠ્ઠમ હોય અને કોઈ બહેનને પૌષધ કરવાના ભાવ થાય અને અચાનક માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે બહેન એક નવકાર મંત્ર પણ ન ગણે, પ્રભુ ભક્તિ, સ્તુતિ ન કરે, ઉપાશ્રય પણ ન જાય અને અવ્રતમાં રહીને સાવધ કાર્યમાં રચ્યા-પચ્યાં ઘરમાં ફર્યા કરે એ જરાય ઉચિત નથી. આવા નિયમ ઘડવાનું તો સર્વજ્ઞોને દૂષિત કરવા જેવું ગણાય ! આગમમાં તો યથાવસર માસિક ધર્મમાં પરસ્પર વાંચના દેવા-લેવાની પણ છૂટ આપી છે. ભાષ્યમાં દેરાવાસી આચાર્યોએ તેની વિધિ પણ બતાવેલ છે. તો પછી આવા નિત્ય-નિયમોના સંબંધમાં એકાંત નિષેધ કરવામાં કોઈ લાભ નથી. નુકસાનીનો કાયદો ચલાવવો તે સર્વથા અનુચિત છે. ધુરંધર વિજયજી :~ પંડિત જી ! કોઈ વ્યક્તિને એકસીડંટ થઈ જાય અને તેના શરીરમાંથી કલાકો સુધી લોહી નીકળે તો શું તે પ્રભુ ભક્તિ કે નવકાર મંત્ર વગેરે ભણી શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy