SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બોધ વગર આ માર્ગની પાત્રતા થતી નથી. સન્દેવ, સદ્ગુરુ, સદ્ધર્મની, અપૂર્વ શ્રદ્ધાયુક્ત સાધક મોહનીયકર્મની સાત પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે ત્યારે તેને દર્શનભાવનાની (સમક્તિ) પ્રાપ્તિ થાય છે. આ ભાવનાથી ભાવિતાત્મામાં સંવેગમોક્ષપ્રાપ્તિની પરમ જિજ્ઞાસા, કષાયોની વિરક્તિ, ઉપશાંતતા, ભાવનાની સ્થિરતા, વ્રતાદિમાં દેઢતા, જિનાજ્ઞામાં અપૂર્વ શ્રદ્ધા અને જીવો પ્રત્યે અનુકંપા, વાત્સલ્ય જેવા ગુણો સહજ હોય છે. આવા અનુપમ ગુણો કયારે પ્રગટે ? દેહાદિ પૌદ્ગલિક સુખ ક્ષણિક છે તેવું ભાસે, તેની આસક્તિ ઘટે, તેમાં અસારતા લાગે, અન્ય જીવો પ્રત્યે વૈર, અસૂયા જેવા દોષો તેના મનમાં ઉઠે નહી, સમતાને ધારણ કરનારો હોય, દુ:ખ સહીને અન્યને સુખ પહોંચાડનારો હોય. આશા તૃષ્ણાથી દૂર રહેનારો, સાંસારિક આરંભના પાપોથી ડરનારો તેવા આરાધક જીવમાં ગુણરાશિ એકઠી થાય. મોક્ષ જેવા આખરી, નિત્ય, અનુપમ, નિરામય સુખ પ્રાપ્ત કરવાની, સમક્તિ એ ગુરૂચાવી છે, તો સમ સંવેગાદિ ગુણો તે ચાવીના રક્ષક છે. જયાં સુધી જીવને આલોક - પરલોકના સુખની તૃષ્ણા છે. સ્વાર્થ જેવા દોષોથી ગ્રસિત છે. આત્મસ્વરૂપની નિષ્ઠા નથી. તે માટેના કોઈ અનુષ્ઠાનોમાં રૂચિ નથી તેવા જીવોને આ અમૂલ્ય તત્ત્વ હાથમાં આવે તેવી શકયતા નથી. ઘણા જન્મોની ઘણી પુણ્યરાશિ એકઠી થઈ હોય તેને સ્વરૂપ પ્રત્યે પ્રીતિ થાય છે. તેને સ્વરૂપના બોધ દાતા પ્રત્યે આદર થાય છે. તેનો સમાગમ સેવે છે ત્યારે તેને પૂર્વની આરાધના સાથે વર્તમાનની આરાધનાનું બળ પ્રેરક બને છે. ચારિત્ર ભાવના : જ્ઞાન-દર્શન-ભાવનાથી ભાવિતાત્માને આત્માની આગળની પ્રગતિનો અભિગમ વૃદ્ધિ પામે છે તેથી કષાયની અતિમંદતા થાય છે, અને સાધકમાં વૈરાગ્યભાવોનું પૂર આવે છે, ત્યારે તેનામાં ચારિત્રભાવનાનો પ્રકર્ષ થાય છે. ચારિત્ર એટલે સંસારનો, સંસારના સંસ્કારોનો છૂટકારો. અસંગદશાનો અભ્યાસ, નિષ્પાપ જીવન, દેહધર્મની ગૌણતા અને ધ્યાન, સ્વાધ્યાયાદિની વિશેષતા હોય છે. કારણકે સંસાર ત્યાગ કર્યા પછી પુરાણા ઈન્દ્રિયાદિ વિષયોના, કષાયોના, સંજ્ઞાઓના, સ્વજન પરિજનના રાગાદિના ભાવોના ચિંતનયાત્રા Jain Education International ૯૦ For Private & Personal Use Only જ્ઞાનાદિ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy