SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ૧૩. મૈત્રી આદિ ચાર ભાવનાઓ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ભાવના અને ધ્યાન જેવા વિષયોના અનેક પ્રકાર છે. સાધકની ભૂમિકા અનુસાર તેનું અનુશીલન કરવાનું છે. શાંતસુધારસ વગેરે ગ્રંથોમાં બાર ભાવના ઉપરાંત અન્ય ભાવનાઓનું નિરૂપણ કરેલું છે. તેમાં મૈત્રી, મોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાની વિશેષતા એ છે કે બાર ભાવનાના ચિંતન, અનુપ્રેક્ષા દ્વારા સાધકને વીતરાગભાવનો સ્પર્શ થાય છે. ત્યાર પછી મૈત્રી આદિ ભાવનાઓ વડે તેમાં સ્થિરતા આવે છે. જે ધર્મધ્યાનરૂપે પરિણત થાય છે માટે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ગ્રંથકારે જણાવ્યું છે કે સાધુએ મહાવ્રતની સ્થિરતા માટે મૈત્રી આદિ ચાર ભાવનાને ચિંતવવી અને આચરવી. જેથી આત્મા સ્વભાવમાં લીન થાય છે. યોગબિંદુસાર ગ્રંથમાં ચાર ભાવનાનો સાર આ પ્રમાણે કહ્યો છે. મિત્રી : અન્યના હિતની ચિંતા. પ્રમોદ : ગુણો પ્રત્યે આદર અહોભાવ. રુણા : દુઃખી જીવોનું દુઃખ દૂર ક્રવાનો પ્રયત્ન - ભાવના. માધ્યસ્થ : હીન બુદ્ધિવાળા અવિનીત પ્રત્યે ઉદાસીન રહેવું કે ઉપેક્ષા કરવી. આ ચાર ભાવનાઓનું બહુમૂલ્ય એ છે કે તેના અધિકારી વિવેકીજન છે. વિવેકી એટલે જેણે પરમાર્થ, આત્મા, મોક્ષનું ચિતંન કર્યું છે. તેની પ્રાપ્તિની ભાવના કરી છે. વળી જેની આત્મદષ્ટિ કે પરમાર્થદષ્ટિ ખુલી છે તે ચાર ભાવનાથી ભાવિત થવાનો અધિકારી છે. જેના પરિણામે તે શ્રેણિને ઘોગ્ય ધર્મધ્યાનમાં આરૂઢ થઈ શકે છે. વળી મૈત્રી આદિ ભાવનાઓની વિશેષતા એ છે કે આ ભાવનામાં પ્રવેશ કરનાર જિનાજ્ઞાધારક છે, દેવગુરુના ઉત્તમ ગુણોથી, પરિચિત, પ્રમોદભાવવાળો છે. જિનવાણીનો ગ્રાહક છે. વ્રતધારી અને સંયમી છે. ઈર્ષા, માયા, છળ, પ્રપંચ જેવા દુષ્ટ ભાવોથી મુક્ત છે. ગંભીરતા જેવા શ્રાવકના ગુણોથી વાસિત છે. હે જીવ! મૈત્રી આદિ ભાવનાઓનું આ મૂલ્ય જાણી ચિંતન કરજે કે જીવનમાં મૈત્રી આદિ ભાવનાઓનો વિચાર અને આચાર કરવા જેવો છે. હવે તારું જીવન તો કાળના ઝપાટે વહ્યું જાય છે. અન્ય ઉપાધિને ચજીને આ ભાવનાઓનું બળ વધારી દે. આ સર્વ સંબંધો પંખીના મેળા જેવા છે. આજે અહીં તો કાલે કયાં ? માટે દુર્ભાવ ત્યજીને મૈત્રી જેવા માવથી જીવનને ધન્ય બનાવી દે. ચિંતનયાત્રા મૈત્રી આદિ ચાર ભાવના Jain Education International For Private Co For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy