SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ मृत्यु પામે છે ત્યારે કેવળ આત્મા જ અન્યત્ર જાય છે. બીજા સાધનો કે દેહ પણ અહીં રહે છે. માટે આત્મરક્ષા કરી લે, દેહરક્ષા થવી સંભવ નથી. તે તો અગ્નિસંસ્કાર પામી નષ્ટ થાય છે. અતિ દુર્લભ તેવો માનવદેહ તને કાકતાલિય ન્યાયે મળી ગયો છે ? તેમાં કંઈ પુણ્ય ભળ્યું એટલે ધન, યૌવન, પરિવાર પામ્યો, તેમાં ક્ષણ ક્ષણ કરતાં તારું આયુષ્ય અંજલિજળની જેમ સરતું જાય છે. તારી નજર સામે કેટલાય વિદાય થયા, તેથી બોધ પામ, મારે ખાલી હાથે વિદાય થવું નથી. મારે આ જન્મમાં અમૂલ્ય મુક્તિદાયક બોધિરત્નની પ્રાપ્તિ કરવી જ છે. તેની ગુરુગમે ઉપાસના કર અને ચાર ગતિના દ્વારને બંધ કરવા સંકલ્પ કર. આ ઉપાસનાની કેટલીક સમજ કેળવી લે. પાત્રતા કરી લે. પાત્રતા માટે શું કરવું ? જીવાદિ નવતત્ત્વનું અધ્યયન કરવું. નવકાર મહામંત્રને હૃદયસ્થ કરવો. નવપદને આત્મામાં ધારણ કરવા ધ્યાન કરવું. સતદેવની ભક્તિ, ગુરુનો સમાગમ, સાધુજનોની વૈયાવચ્ચ કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું. શ્રાવક ધર્મને ઉચિત આવશ્યક ક્રિયાઓ પવિત્ર ભાવે કરવી. દાન, શીલ, તપ, ભાવની આરાધના કરવી. વિષયોની મર્યાદા કરવી. કષાયો ઉપશાંત કરવા. મિથ્યામતિનો સંપર્ક ન કરવો, તેવા પ્રકારોનું સેવન ન કરવું. તપ, વ્રત, પચ્ચખ્ખાણ દ્વારા સંયમ કેળવવો. આવા ઘણા અમૂલ્ય રત્નોને ભેગા કરી તેના બદલામાં એક સમ્યક્ત્વ ગુણનો પ્રકાશ કર. પછી મિથ્યાત્વ ભાગી જશે. “સમક્તિ સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી.'' મલ્લિજિનસ્તવન. શ્રી આનંદઘનજી સૂર્યનો પ્રકાશ થતા અંધકાર દૂર થાય તેમ સમ્યક્ત્વ પ્રગટ થતા તેના ચમત્કારથી મોહ, માયા, મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થશે. તે દોષો તારા ઘરમાંથી દૂર થઈ જશે. અનાદિથી અનેક ભવભ્રમણ પછી પણ મનુષ્યપણુ મળવું દુર્લભ છે, તેના કરતા પણ ઘણી દુર્લભતા આ બોધિરત્નની પ્રાપ્તિની છે. ધર્મ ચિંતનયાત્રા Jain Education International ૮૧ For Private & Personal Use Only બોધિ દુર્લભ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy