SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજનો વિકટ એવા સંસાર વનને-ભવ વનને ઉત્તમ ક્ષમાદિ ગુણો દ્વારા જ ઉલ્લંઘી જાય છે. તેઓને જ્ઞાન - ધ્યાનમાં ક્ષમાદિ ધર્મ સહાયક બને છે. તે વડે નિર્ભયપણે એકાંતમાં કાયોત્સર્ગ-ધ્યાને રહી સાધુજનો મોક્ષને પ્રાપ્ત કરે છે. ક્ષમાદિ ધર્મોનું વિવેચન સંવરભાવનામાં આપેલું છે. જન્મ, જરા, મરણ, રોગ, શોક, દુઃખ, દારિદ્ર, ભય, નિરાધારતા વગેરે જેવી ઉપાધિથી ધર્મ સિવાય કોઈ રક્ષણ કે શરણ આપી શકે તેમ નથી. જીવ ધર્મને માને કે ન માને પણ તેને દુઃખ ગમતું નથી. તે દુઃખથી રક્ષણ આપનાર ધર્મ છે. ધર્મ કેવળ રૂઢિ શબ્દ નથી પણ જીવમાત્રની ચેતનાની શુદ્ધિનો મર્મ સમજાવનાર શ્રુત શબ્દ છે. દાનાદિ ઉપરાંત જીવની કક્ષા આગળ વધે ત્યારે ઉત્તમ ક્ષમા, સરળતા આદિ ધર્મો - લક્ષણ ગુણ પ્રગટે છે, તે ધર્મનો પ્રભાવ છે, એ ગુણો સાધુજનો પ્રાણાતે પાળે છે. ત્યાર પછી સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમ્યગ કપરૂપ ધર્મ સ્વયં જીવને ધારણ થાય છે. જે અનંતર મોક્ષનું કારણ છે. દાનાદિ ધર્મમાં તત્ત્વદૃષ્ટિનો બોધ પામે તે પછી ગુણોનો વિકાસ સરળ છે. પરંતુ લોક પ્રવાહથી થયેલો ધર્મ ઘણો વ્યાપક હોય તો પણ તે રૂઢ શબ્દ બને છે. તેથી ભાવ શ્રુતજ્ઞાનરૂપે પરિણમતું નથી માત્ર ક્રિયારૂપ હોય છે. તત્ત્વત્રયની દૃષ્ટિએ સર્વજ્ઞ વિતરાગ દેવ, નિગ્રંથગુરુ અને દયામૂળ ધર્મ છે. દયામૂળ ધર્મનું રહસ્ય ગૂઢ છે તેનો તાત્વિક અર્થ છે સર્વજીવ પ્રત્યે સમભાવ. તેમાંથી દાનાદિ ધર્મો ફલિત થાય છે. જે પરંપરાએ ભાવશુદ્ધિ દ્વારા મોક્ષનું કારણ બને છે. મનુષ્ય જન્માદિ જીવને પુણ્યયોગે મળે છે પણ ધર્મ તો મહત્વપુણ્યના યોગે મળે છે. જે ધર્મ જીવોને જીવન માટે આધારભૂત છે. અનાદિકાળમાં અનેક વાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જન્મમરણના હેતુ હજી રહયા છે તેથી સમજાય છે સમભાવરૂપ ધર્મની દુર્લભતા છે. તે સમભાવ કે સમત્વ માટે સાધકે ક્ષમાદિ દસ ધર્મોનું પાલન કરવું. સંવર ધર્મમાં તેનું અવતરણ કરેલું છે. પરંતુ સાધકને પુનરાવર્તન એ સ્વાધ્યાયનો પ્રકાર હોવાથી અત્રે કરેલું પુનરાવર્તન દોષ નથી. પરંતુ તે વડે તે ભાવનાઓ પુષ્ટ થાય છે. સંક્ષિપ્ત દસ ધર્મ લક્ષણ : ક્ષમા સાધકને શત્રુ ન હોય છતાં એવા પ્રસંગે ક્ષમાભાવ રાખવો, ચિંતનયાત્રા ૭૫ For Private & Personal Use Only ધર્મ પ્રભાવ ભાવના www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy