SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ છે. લોકાકાશ કરતા અલોકાકાશ અનંત ગણું છે. અલોક એટલે જયાં ધર્મા-અધર્માસ્તિકાય જેવા દેવ્યો નથી તેથી ત્યાં જીવાદિનું ગમનાગમન પણ નથી. અપોલોક પછી તિર્યકલોક (તિર્ણ-આડુ, મધ્ય-મૃત્યુલોક) એક રજ્જુ પ્રમાણ છે. હજારો યોજન પ્રમાણ આ લોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. લોકપુરૂષનો મધ્યભાગ સુશોભિત છે. તેમાં સુંદર નામયુક્ત દીપસમુદ્ર ક્રમથી ગોઠવાયેલા છે. જંબુદ્વીપ એક લાખ યોજન તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ઘાતકીખંડ તેને ફરતો કાલોદધિ સમુદ્ર તેને ફરતો પુષ્કર દ્વીપ, તેને ફરતો પુષ્કર સમુદ્ર. આમ દ્વીપોની રચના એકથી બીજાની બેગણી વલયાકારે છે. જંબૂઢીપ મધ્યમાં છે તેને ફરતા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. જંબૂદીપની મધ્યમાં મેરૂપર્વત છે. તેની ઉંચાઈ એકલાખ યોજન છે. જેમાં પાંડુકવન આદિ શીલાઓ છે જયાં તીર્થકરના જન્માભિષેક થાય છે. અસંખ્ય દ્વીપોમાં પ૬ અકર્મભૂમિ છે જયાં યુગલિકો વસે છે તેઓ ભદ્રિક છે, તેથી દેવગતિ પામે છે પણ અકર્મભૂમિની જેમ મોક્ષગતિ પ્રાપ્ત નથી થતી કારણ કે ત્યાં તીર્થકરની ઉપસ્થિતિ જેવા બાહા નિમિત્તો નથી. સંસાર ત્યાગ જેવા વૈરાગ્યના પરિણામ નથી. તેમ પરિગ્રહની મૂછના પાપ નથી. પંદર કર્મભૂમિ છે જયાં તિર્યંચો અને મનુષ્યો વસે છે. જેમાં અસિ (શસ્ત્ર) મસી (લેખનવિદ્યા) અને કૃષિ ધંધા વ્યાપારની વિશેષતા છે. આ ભૂમિમાં ચોથા આરામાં તીર્થકરાદિની ઉપસ્થિતિ હોય છે. તેથી જીવો મોક્ષ માર્ગની સાધના કરી મોક્ષ પામે છે. જન્મમરણથી મુક્ત થાય છે. વિશેષ વિગત શાસ્ત્રથી જાણી લેવી. ત્રીજો લોક ઉર્ધ્વલોક-દેવલોક છે. બ્રહ્મલોક સુધી પાંચ રજુ પ્રમાણ છે. તેની ઉપર લોકાત એકરાજ પ્રમાણ છે. જો કે ભુવનપતિ અને વ્યંતર દેવોના સ્થાન પ્રથમ રત્નપ્રભા પૃથ્વીમાં આવેલા છે. ચર જયોતિષ દેવોના વિમાનો મેરૂપર્વતને ફરતા છે અને ઉર્ધ્વલોકના જયોતિષ દેવના વિમાનો સ્થિર છે. તે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના નામે ઓળખાય છે. ફરતા જયોતિષ દેવોના વિમાનો પરથી સમય-કાળ, અર્થાત દિવસ, રાત કે ભૂત, ભવિષ્ય વર્તમાનકાળ નક્કી થાય છે, જે ત્રણે લોકને લાગુ પડે છે. તે એક સમયથી માંડીને અવસર્પિણી, ઉત્સર્પિણીના આરા પ્રમાણ હોય છે. વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં છે. નવરૈવયક તથા પાંચ અનુત્તર દેવના ચિંતનયાત્રા લોકસંસ્થાન ભાવના www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy