SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાત્મોત્કર્ષના છે તે પણ સ્વાધ્યાય છે. તેના વડે નિર્જરા સંભવ છે. સ્વાધ્યાય શ્રેષ્ઠતપ છે. તેનું પાંચ ભેદે સેવન કરવાથી મુક્તિનું કારણ બને છે. (૫) કાયોત્સર્ગ : વ્યુત્સર્ગ = સમસ્ત બાહ્ય પદાર્થોનો ત્યાગ તે વ્યુત્સર્ગ, દેહભાવનો ત્યાગ થઈ આત્મરમણતા તે કાયોત્સર્ગ છે. જયાં દેહમમત્વનો ત્યાગ થાય છે ત્યાં પ્રાયઃ અન્ય પદાર્થોનો ત્યાગ થાય છે તે નિર્જરા છે. રણમેદાને લડતા યોદ્ધાઓ દેહના મમત્વનો ત્યાગ કરી મોતનો દાવ લગાવે છે પણ જીત મેળવવાની, માનાદિની અપેક્ષા છે તેથી તે કાયોત્સર્ગ નથી. કોઈ અત્યંત આવેશમાં આવી અગ્નિસ્નાન કરે છે. એક અવાજ પણ કરતો નથી છતાં તે દેહભાવરહિત દશા નથી તેથી તે નિર્જરા નહિ પણ કર્મબંધનું કારણ છે. કાયોત્સર્ગમાં એકાંત ક્ષેત્ર, મૌન અને ધ્યાનની મુખ્યતા છે. જેની અંતરંગ દશા નિર્મળ છે તેનો વ્યુત્સર્ગ નિર્જરાનું કારણ છે. (૬) ધ્યાનતપ :ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. તે શાસ્ત્રોક્ત પ્રમાણે ચાર પ્રકારના છે. આર્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. પ્રથમના બે ધ્યાન અશુભ છે. પછીના બે ધ્યાન શુભ છે. શુદ્ધ ધ્યાનનું ફળ કર્મ નિર્જરા છે. અશુભધ્યાન પાપબંધનું કારણ છે. ધર્મધ્યાનાદિ કર્મક્ષયનું કારણ છે. ચિત્ત વિષયાદિ પદાર્થોમાં એકાગ્ર બને છે તેવા અશુભધ્યાન વડે અસદ્ગતિ થાય છે. ચિત્ત શુભ અનુષ્ઠાનમાં એકાગ્ર બને તે શુભધ્યાન છે. તે મનુષ્યાદિ શુભગતિનું કારણ છે. વૈરાગ્યભાવના સાથે જ્ઞાનીનું ધ્યાન નિર્જરાનું કારણ છે. ધર્મધ્યાન તથા શુકલધ્યાનથી નિર્જરા થાય તે મુક્તિનું કારણ હોવાથી તે અપેક્ષાએ શુદ્ધધ્યાન છે. યોગ નિરોધ થયા પછી ચૌદમા ગુણ સ્થાનકે ધ્યાનાંતર દશા હોય છે. કેવળજ્ઞાન પરમાત્માને શુદ્ધોપયોગ હોવાથી તે દશા ધ્યાનાંતર છે. ધ્યાન દ્વારા અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય છે. ધ્યાનના અધિકારી મુનિઓ છે. છતાં ભૂમિકા અનુસાર સાધકે ચિત્તની એકાગ્રતા કેળવવા ધ્યાન કરવું. ચોથા સમ્યકત્વ ગુણસ્થાન કરતાં પાંચમા દેશવિરતિનો કષાય રસ ઘટવાથી તથા વ્રત પચ્ચખાણ સહિત હોવાથી, વૈરાગ્યભાવની વૃદ્ધિ હોવાથી નિર્જરા વિશેષ છે. તેના કરતાં સર્વવિરતિધર મુનિની નિર્જરા ઘણી વિશેષ છે. ગુણશ્રેણીમાં આરૂઢ યોગી તો કર્મોનો નાશ તીવ્રતાથી કરે છે. આમ થવાનું કારણ આત્મભાવની સ્થિરતા અને ઊંચી વૈરાગ્યદશા છે. કર્મની વિચિત્રતા સામાન્ય જીવ જાણી શકતો નથી. કર્મનિર્જરા જોઈ શકાતી નથી. વિશિષ્ટ મુનિજનો, જેમને વિશિષ્ટ અવધિજ્ઞાન હોય, દેવો કે જેમને વિશિષ્ટ અવધિજ્ઞાન હોય તો કર્મસ્કંધો ખરતા જાણી શકે છે. ચિંતનયાત્રા ૬૫ નિર્જરા ભાવના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy