SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અન્યત્વ : અઢળક સંપત્તિ, સ્વજન, પરિવાર સર્વે અજ્ઞાનથી મારા લાગે છે પણ હું સર્વથી ભિન્ન છું. અશુચિત્વ : આ શરીર ચામડીથી મઢેલું છે. તેમાં રહેલા પદાર્થો બહાર નીકળે તો જીવ છળી જાય તેવા ગંદા છે. તેનાથી વિરક્ત થવાનું ચિંતન કરવું. સંસાર : સંસાર નિરંતર પરિવર્તનશીલ છે. એકાંતે દુઃખદાયક છે. બાળકથી લઈને વૃદ્ધાવસ્થા બદલાતી રહે છે. ભવાંતરે પિતા પુત્રપણે થાય, પત્ની માતાપણે થાય છે. વિભાવદશાથી નિરંતર પરિવર્તન પામી જીવ કર્મથી લેપાય છે તેમાં રાચવું શું ? આસવ : મિથ્યાત્વાદિ જીવની વેભાવિક દશાથી કાર્મણવર્ગણાનો આસ્રવ થાય છે જેથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી દુઃખી થાય છે તેમાં આસવ કારણ છે માટે તેના કારણોનો ત્યાગ કરવો. સંવર : એ આત્મશક્તિ છે. આસવથી આવતો કર્મનો પ્રવાહ આત્મશક્તિથી જ રોકાય છે. તે સિવાય જગતમાં બીજું કોઈ સાધન નથી તે સંવરના ભેદોની સાધના કરી આ પ્રવાહ કેમ રોકાય તેનું ચિંતન કરવું. નિર્જરા : સંવરથી આસવની નીકનું દ્વાર બંધ થયું. પછી જે આત્મપ્રદેશો પર જામીને પડેલા કર્મોનો નાશ વિવિધ તપ દ્વારા કરવાનું ચિંતન કરવું. લોકસંસ્થાન: ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં ત્રણ લોક અને ચાર ગતિમાં જીવ અણહેતુ અજ્ઞાનથી જન્મ મરણના દુ:ખ પામે છે. સુખ મળતું નથી તેમ ચિંતવવું. (૧૧) ધર્મ દુર્લભ-ચિંતનઃ ભવભ્રમણથી મુક્ત થવા સર્વજ્ઞ પરમાત્માએ અનુપમ ધર્મના વિવિધ પ્રકાર દર્શાવ્યા છે, તેમાં મુખ્ય શુદ્ધાત્મ ધર્મની ઉપાસના કરવી. (૧૨) બોધિ દુર્લભતા : માનવદેહ, આર્યકૂળ, શાસ્ત્રશ્રવણ, કર્મભૂમિ જેવું ક્ષેત્ર મળ્યા છતાં જો જીવ બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત કરી ન શકે તો તે દુર્લભતા છે. ચારિત્ર પાંચ ઃ ચારિત્ર : વીતરાગ સ્વરૂપ આચરણ. સ્થિરતાનો વિકાસ. સ્વરૂપ રમણતા. ચારિત્રગુણનો વિકાસક્રમ પાંચ પ્રકારે ચિંતનયાત્રા પ૯ For Private & Personal Use Only સંવર ભાવના www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy