SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપવિત્ર જ્ઞાનવાન છે, તેની ઉપાસના કર. આમે તને અશુચિની રૂચિ નથી તેને ગૌણ કરી પવિત્રતમ એવા આત્માની-સ્વભાવની ઉપાસના કર તો આ મલિનતાથી મુક્ત થઈશ. માનવદેહની સાર્થકતા મુક્ત થવામાં છે. જેમ તારું શરીર અશુચિથી ભરેલું તેમ સ્ત્રી પુત્રનું પણ તેવું જ છે તેના આલિંગનમાં તુ સુખ માને છે. પુદ્ગલનો આ લગાવ જીવને મૂર્ખ બનાવે છે માટે ચેત નર ચેત. અશુચિને ત્યજીને પરમપવિત્ર તત્ત્વ એજ અવગાહનમાં છે તેનો આદર કર. વાસ્તવમાં દેહની અશુચિ એ દ્રવ્ય-બાહ્ય અશુચિ છે. ભાવઅશુચિ એ મલિનભાવો, રાગાદિ પરિણામો, ક્રોધાદિ કપાયો, વિષયાસક્તિ છે આ ભાવ અશુચિથી કર્મબંધ થાય છે અને તેને કારણે દેહ ધારણ કરવો પડે છે પછી સર્વ ઉપાધિ જીવને વીંટળાઈ વળે છે. માટે ભાવશૌચ માટે આત્મગુણોનો વિકાસ કરવો, જેથી ભાવશુદ્ધિ થતાં દેહ જ ધારણ થવાનું મટી જાય, જીવ નિર્વાણ પામે અશરીરી બને. ચિંતન કરજે કે શરીરની સાત ધાતુમાત્રના વિચારથી પણ મને ગ્લાનિ થાય છે. જે એવા દેહ પ્રત્યે અનુરાગ કરતો નથી તે આત્મસ્વરૂપના ધ્યાનમાં લીન રહી આત્મ સાર્થક કરે છે. આવા અશુચિમય દેહને વિચારવાથી વૈરાગ્ય પ્રગટ થાય તો આ ભાવના સાર્થક છે. અશુચિ ભાવના : (હરિગીત) પોષે સદા, મુરઝાય તો પણ, ધોવે છતાં મેલું રહે, નિશદિન કરે ઉપાય તો પણ, રોગ છે ફેલી રહે માતા-પિતાની વીર્યરજથી છે દેહ તારો આ બન્યો પરૂ, લોહી, નસ ને હાડ-માંસ, અનેક વ્યાધિ થકી ભર્યો કેસર ચંદન પુષ્પ પણ સ્પર્શે અગર આ દેહને અશુચિત્વને પામે જ નિશ્ચિત, દેહ મલની ઝારી છે, તું વ્યર્થ પડિયો છિદ્રયુક્ત, ચૂસે અને રોવે અરે, સિંચે ભૂમિ યદિ ધ્યાનની, ધર્મ અનંત આવી મળે. ચિંતનયાત્રા Jain Education International ૪૮ For Private & Personal Use Only અશ્િચ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy