SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુઓ પણ મલિન બને છે. તેમાં રાચવા જેવું શું છે ? વળી સુધરેલા વૈજ્ઞાનિક યુગમાં આવા સંસ્કારનું શિર્ષાસન જ થઈ રહ્યું છે. માતા અને સત્વશાળી પત્ની સમાન લાખો સ્ત્રીઓના શરીરને નિર્લજ્જ રીતે અનેક સાધનો દ્વારા બતાવવામાં આવે છે તે કરોડો મનુષ્યો જુએ છે અને વિકૃતિને પોષે છે, રાચે છે. તેવા મૂરખજનોને આનો ખ્યાલ આવવો મુશ્કેલ છે કે રોમેરોમે રોગના ભરેલા, સાત ધાતુની ગંદકીથી ભરેલા આ દેહમાં તું શું રાચે છે ! કૃમિ જેવા અનંત જીવાતથી ભરેલા શરીર પાછળ આ શી ઘેલછા છે! વળી જૂના કાળ કરતા આ વૈજ્ઞાનિક યુગમાં જોઈએ તો દેહની ઉત્પત્તિ કેવી ગંદકીમાં થાય છે તેની વધુ સ્પષ્ટતા વૈજ્ઞાનિક સાધનો દ્વારા બતાવે છે. કેવળ શોણિત શુક્ર જેવા મલિન પદાર્થોના મિશ્રણથી બનેલું શરીર, ગર્ભાવાસમાં મળતો આહાર તારા જોવામાં આવે તો સમજાય કે પેટમાં કેવો આહાર આરોગ્યો હતો ! તું જેને શણગારે છે, સેન્ટલોશન ચોપડે છે તે કેવી રીતે ઉત્પન્ન થયો છે ? ખાણ મૂાને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને જ સાર્થક આમ.” શ્રીમદ્ રાજચંદ્ર મળમૂત્રથી ભરેલું છતાં માનવદેહની એક મહત્વતા છે કે તે મોક્ષ સાધનામાં બાહ્ય નિમિત્ત છે. સ્ત્રી કે પુરૂષનું શરીર સાત ધાતુનું છે. છતાં સ્ત્રી પ્રદર્શનની ચીજ ન બનતા સતીત્વ ધારણ કરે તો પવિત્રતા પામી મુક્તિ માર્ગે જાય છે. તેમ પુરૂષ સ્ત્રીની અને સ્વદેહની આસક્તિ ત્યજી સંયમ માર્ગે જાય તો મુક્તિ પામે છે. તપ સંયમથી દેહ કૃશ થાય તો તેમાં રહેલું આત્મત્વ પુષ્ટ થાય છે માટે તપ સંયમ દ્વારા કાર્ય સાધી લેવું. જન્મ મરણથી મુક્ત થવા માટે માનવદેહ મળ્યા પછી શરીરબળ, મનબળ અને સંઘયણબળ જરૂરી છે તે કેવળ શરીરને દુષ્ટપુષ્ટ રાખવાથી મળતું નથી પરંતુ પુણ્યકર્મોના ઉદયથી મળે છે. તે પુણ્યકર્મો દેવગુરૂ ધર્મ તત્વની આરાધનાથી મળે છે, દેહ વિકાર પોષણ માટે નહિ પણ નિર્વિકાર થવા માટે છે તેમ માની ભવ્ય જીવ શરીરની મલિનતા જોઈને બોધ પામે છે. માટે જીવન સમાપ્ત થાય તે પહેલા આ દેહ વડે આત્મભાવનાથી જીવન સાર્થક કરી લે. જગતમાં કોણ જાણતું નથી કે માનવનું શરીર અનેક પ્રકારની અશુચિથી ચિંતનયાત્રા Jain Education International ४४ For Private & Personal Use Only અશુચિ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy