SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ નથી, પરંતુ જયારે ઉપયોગ શૂન્યતાથી છદ્મસ્થતાને કારણે માનસિક, વાચિક કે કાયિક કોઈ સૂક્ષ્મ દોષ લાગે તે તેમને તરત જ ધ્યાનમાં આવે છે તેનું ત્વરિત તથા ઉત્કટ પ્રાયશ્ચિત તત્પણ સ્વીકારી લે છે. ગુણસ્થાનકની બહાર રહેલા જીવો ભાવ વિકાસ સાધી શકતા નથી. માત્ર દ્રવ્ય વિકાસ સાધી શકે તે પણ છઠ્ઠી દૃષ્ટિવાળા જેવો વિકાસ થઈ શકે. સાતમી દૃષ્ટિ જેવો વિકાસ તેમને દ્રવ્યથી પણ હોતો નથી. ૨. રોગ દોષક્ષય : આ દૃષ્ટિવાળા યોગીજનો દેહાધ્યાસથી મુક્ત, બળવાન સંઘયણવાળા હોય છે. તેમને શારીરિક રોગની સંભાવના નથી. અને કોઈ નિકાચિત કર્મથી અશાતાનો ઉદય આવે તો સનતચકી જેવા યોગીજનો તેને સમતાથી ભોગવીને ખપાવી દે છે. તો પછી અહીં કયો રોગ છે? રોગ એટલે રાગ દ્વેષ કષાયરૂપી ભાવરોગ, આ દૃષ્ટિમાં પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયોનો અભાવ છે. ગુણસ્થાનક અન્વયે અવ્યક્ત કષાયો દસમા ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ વ્યક્ત કષાયનો અભાવ છે કારણ કે આ જીવોની નિર્વિકલ્પદશા હોય છે. ગૃહસ્થને આ દૃષ્ટિ ગૌણપણે કથંચિત પ્રાપ્ત થાય પરંતુ મુનિદશા ન હોવાથી ટકે નહિ, અંતર્મુહૂર્તમાં ચલિત થાય કારણકે ગૃહસ્થાવાસમાં આરંભ સમારંભની પાપપ્રવૃત્તિને કારણે વિકલ્પ ઉઠે છે. જયારે આ દૃષ્ટિવાળા યોગીજનો પ્રશસ્ત કષાયથી પણ જાણી કરીને પાપપ્રવૃત્તિ કરતા નથી. રોગનું કારણ કષાય કે પાપ પ્રવૃત્તિ છે. આ યોગીજનોને તેવી પ્રવૃત્તિ નથી. વળી પૂર્વકર્મને તપાદિ દ્વારા ખપાવતા રહ્યા છે તેથી દેહરોગ કે ભાવરોગની સંભાવના નથી. 3. તત્ત્વમતિપત્તિ ગુણપ્રાપ્તિ ઃ દોષ ક્ષય થવાથી ગુણપ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિમાં આત્મતત્ત્વની અનુભૂતિરૂપ તત્ત્વપ્રતિપત્તિ થાય છે. આ ગુણપ્રાપ્તિ થયા પછી જેવું જ્ઞાન (ગુણ) તેવી જ રૂચિ અને પરિણતિ હોય છે. સ્થિરાદેષ્ટિમાં સમક્તિ વ્યવહારરૂપ હતુ, ભેદજ્ઞાન શ્રદ્ધારૂપ હતુ. આ દૃષ્ટિમાં નિશ્ચયનયનું સમક્તિ હોવાથી રત્નત્રયીની એકતારૂપ શુદ્ધ પરિણતિ હોય છે. મન, વચન, કાયાના યોગોની એકતા અને સ્થિરતા હોય છે. પૌદ્ગલિક પદાર્થોમાં કે પરભાવમાં કર્તાભાવ નથી માત્ર જ્ઞાતા-દષ્ટાભાવ હોય છે. કથંચિત વિકલ્પ ઉઠે તો જ્ઞાની તેના જ્ઞાતા છે, કર્તા નથી. આ દૃષ્ટિમાં આત્મા સ્વભાવરૂપે પ્રગટ થાય છે. આ યોગીજનોની આંતરિક દશા પરમ પવિત્ર હોય છે. અનેક રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થવા છતાં તેનો બાહ્ય પ્રસાર કરતા નથી. યોગદષ્ટિ સમુચ્ચય ૨૮૦ પ્રભાદેષ્ટિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy