SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ જો કે અપેક્ષાએ સર્વવિરતિધર સાધુ મહાત્મા એથી વિશેષ સંયમધારી હોય છે. પંચમહાવ્રતધારી, અહિંસક, અપ્રમાદી જેવા મહત્વના સંયમસ્થાનો ધરાવે છે. જો કે આ દૃષ્ટિમાં સમકિતી, દેશવિરતિધર, સર્વવિરતિધરનો સમાવેશ થાય છે. કારણકે તે બધા જ પોતાના આચારોનું નિરતિચાર પાલન કરે છે. કારણકે તેમનો તત્ત્વબોધ સૂક્ષ્મ છે. જેમકે ગૃહસ્થ પુણિયાજીનું સામાયિક નિરતિચાર હતું. શ્રી તીર્થર પરમાત્મા જન્મથી આ દૃષ્ટિવાળા હોય છે. રાજયની ઋદ્ધિ વગેરે હોવા છતાં બાળપણથી તે ભોગોથી વિરક્ત હોય છે. સ્વભાવે શાંત, ગંભીર, ઉદાર, વિવેક અને ઔચિત્ય પાલનવાળા હોય છે. સૂક્ષ્મબોધની વિશેષતા તથા દોષક્ષય ગુણની પ્રાપ્તિને કારણે આ જીવો શુદ્ધ ઉપયોગની રમણતાવાળા હોય છે. વિકટ પરિસ્થિતિમાં શુભ પરિણામની ધારા પેદા કરી લે છે, ટકાવી રાખે છે, અશુભને શુભમાં પલટાવી લે છે. જેમકે ક્રોધના નિમિત્તને ઉત્તમ ક્ષમામાં પલટાવી દે. પાંડવોના પ્રસંગથી સમજાય છે. દુષ્કર ઉપસર્ગોને સમતાથી સ્વીકારી લે છે. અન્યમુદ્ દોષક્ષય : અન્યમુદ્ ઃ વૈભાવિક રૂચિ, આકર્ષણનો અભાવ. યોગસાધના સિવાય અન્ય ક્રિયામાં હર્ષ થતો નથી. ચિત્તની સ્થિરતા યોગસાધનાની ઈષ્ટ ક્રિયામાં હોવાથી અન્ય ક્રિયાના વિકલ્પો ઉઠતા નથી. વળી ઉત્તમ સૂક્ષ્મ વિચારણા દ્વારા સમગૂજ્ઞાન વિશેષ નિર્મળ બને છે. તેમાં જ સાચુ હિત છે તેમ માને છે. તેથી અન્ય શ્રુતનો, ક્ષેત્રનો કે સહવાસનો ત્યાગ કરે છે. એક અનુષ્ઠાન ક્રિયા થતી હોય ત્યારે બીજા અનુષ્ઠાનમાં મન જાય તો તે અન્યમુદ્ દોષ છે. જેમ કે ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે બીજી ક્રિયામાં મનને લઈ જવું કે ક્રિયા કરવી તે અન્યમુદ્ દોષ છે. આ દોષ અંગારા જેવો ગણ્યો છે. તે સમયની ક્રિયામાં ભાવની અસ્થિરતા થાય છે. એવી દોડાદોડી કરવાથી તે નિર્જરાનું કારણ થતું નથી. પાંચમી દષ્ટિ સુધી દર્શન મોહનીયના ખેદ્, ઉદ્વેગ, લેપ, જેવા દોષોનું નિરાકરણ થયું હતું. આ કાંતા નામની છઠ્ઠી દૃષ્ટિથી ચારિત્રમોહનીય જન્ય દોષોનું નિરાકરણ થાય છે. વિચારવા જેવું એ છે કે આત્મા કેવો અમાપ શક્તિયુક્ત તત્ત્વ છે. તેને સાંસારિક સુખની પાછળ દોડતા જીવો જાણી શકતા નથી. એ જ આત્માની નિર્મળતા આ યોગમાર્ગ પ્રગટ કરે છે. અને દાટેલો કાન્તાદૃષ્ટિ For Private & Personal Use Only યોગદષ્ટિ સમુચ્ચય ૨૬૮ Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy