SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે અન્ય જીવોને તત્ત્વ સમજાવવામાં પ્રભાવશાળી હોય છે. તેથી તેમાં સફળતા પણ મળે છે. અન્ય જીવોને આવા યોગીઓના બોધ પ્રત્યે, ઉપદેશ પ્રત્યે પ્રીતિ થાય છે. અને તેથી બોધ શ્રવણ સફળ થાય છે. આ દૃષ્ટિવાળા જીવો વિશુદ્ધ આચારોના કારણે લોકપ્રિય બને છે. વૈરાગ્ય જેવા ગુણો, નિઃસ્પૃહતા-સમભાવને કારણે આ યોગીઓના આચાર સહેજે સમ્યગ્ હોય છે. તેમના વિચાર, વાણી, વર્તન સદાય માટે સહજ ભાવવાળા હોય છે. દિન પ્રતિદિન તેઓ ધર્મમાર્ગમાં એકાગ્ર ચિત્તવાળા થતા હોય છે. મુનિરાજોની અંતરદશાનું આવું સામર્થ્ય છે. આ જીવો શાસ્ત્રયોગવાળા હોવાથી તેઓ શ્રુતધર્મમાં શાસ્ત્ર અધ્યયનમાં દત્તચિત્ત હોય છે. શાસ્ત્રયોગમાં તેમનો પ્રવેશ થયેલો છે. આ યોગીઓની નિર્લેપતા પણ આશ્ચર્યકારી છે. સાંસારિક કાર્યો તો અતિ ગૌણ છે. આહારાદિ પણ સંયમ અર્થે દેહ ટકાવવા માટે હોય છે. આ યોગીઓને “આક્ષેપક જ્ઞાનના'' (આકર્ષણ કરનાર) પ્રભાવથી ઈન્દ્રિયાદિના ભોગો કે આહારાદિ સંસારના પરિભ્રમણના કારણ બનતા નથી. પરંતુ પૂર્વબધ્ધ કર્મના ઉદયની નિર્જરણા થાય છે. શાસ્ત્રના બોધમાં, જ્ઞાનના અનુભવમાં આકર્ષણ કરનારું આ આક્ષેપકજ્ઞાન વિશિષ્ટ કોટિના વૈરાગ્યવાળું હોય છે. તેથી કુંથુનાથ આદિ તીર્થંકર પરમાત્માને ચક્રવર્તીના આશ્ચર્યકારી સુખભોગ અને રિદ્ધિ સિદ્ધિ મળવા છતાં અસંગ રહી શકતા હતા. તે ભોગાદિમાં મૂંઝાતા ન હતા કે આકર્ષણ પામતા ન હતા. આ જ્ઞાનનો તેવો પ્રભાવ છે. આ દૃષ્ટિવાળા જીવો સમર્થ તત્ત્વચિંતક હોય છે. . તત્ત્વોના ગૂઢ રહસ્યોના જ્ઞાતા હોય છે. તેથી તેમના મોહાદિ વિકારો ક્ષીણપ્રાય થઈ જાય છે. તત્ત્વના સૂક્ષ્મ ચિંતન દ્વારા સમ્યગ્દર્શનના મૂળભૂત છ સ્થાનોની ગવેષણા કરે છે. : છ સ્થાનો ઃ (૧) આત્મા છે. (હું જ આત્મા છું) વિશ્વમાં જેમ અન્ય પદાર્થો છે તેમ આત્મા એક પદાર્થ છે. (૨) તે નિત્ય છે, જન્મ મરણાદિ અવસ્થાઓ બદલાવા છતાં આત્મા નિત્ય અવિનાશી શાશ્વત છે, અને તે જ ઉપાદેય છે. (૩) વિભાવિક દશામાં કર્મનો કર્તા હોવાથી કર્મજનિત સુખદુઃખનો ભોક્તા છે. (૪) નિશ્ચયથી સ્વભાવ દશાએ આત્મા સ્વરૂપનો કર્તા અને તેના આનંદસુખનો ભોક્તા છે. (૫) વળી આ આત્મા મોક્ષસ્વરૂપ છે. નિરાવરણજ્ઞાન વડે આત્માનું મોક્ષસ્વરૂપ પ્રગટ થાય છે. (૬) મોક્ષ પ્રાપ્તિ સાધનો છે, તે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગુચારિત્ર આદિ યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૬૬ For Private & Personal Use Only કાન્તાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy