SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) તાત્ત્વિક ધર્મ : વિવેકપૂર્ણ અને પ્રણિધાનાદિ ભાવધર્મ યુક્ત છે. તેના બે પ્રકાર છે. (અ) નિરવદ્યપુણ્ય (બ) સાવધપુણ્ય (અ) નિરવદ્યપુણ્ય : આ પ્રકારનું પુણ્ય શ્રેષ્ઠ ધર્મ સામગ્રીને પ્રાપ્ત કરાવે છે. તેઓની સાંસારિક સુખભોગની સામગ્રી પણ પ્રચુર હોય છે. છતાં તેમાં તે અનાસક્ત છે. પોતાને ઉત્તમ ધર્મ પાળવો હોય, અન્યને પમાડવો હોય ત્યારે તે જીવોનો બળવાન પુણ્યપ્રકૃતિનો ઉદય નિમિત્ત બને છે. તે પુણ્યપ્રકૃતિ તીક્ષ્ણબુદ્ધિ, માર્ગને અનુરૂપ ક્ષયોપશમ, આગમનો યોગ, ધર્મમયભાવના છે, આ પુણ્ય નિરવધ છે. મુખ્યત્વે વિવેક અને વૈરાગ્યયુક્ત આ શુદ્ધ ધર્મ છે. (બ) સાવદ્ય પુણ્યાનુબંધીપુણ્ય : આ પણ તાત્ત્વિક પુણ્યથી બંધાય છે. તે દેવલોકના કે મનુષ્યલોકના ઉત્તમ પ્રકારના ભોગ સુખ પ્રાપ્ત કરાવે છે. જો કે તે કાળ તેમનો અવિરતિજન્ય હોવાથી પ્રમાદાદિનું સેવન કરવું પડે છે. છતાં તે સમક્તિ ગુણને બાધ કરતું નથી, અવિરતિની હાજરીમાં જીવ સમક્તિની પ્રાપ્તિ કરી શકે છે, ટકાવી રાખે છે. બાધા એ છે કે ભાવો જીવને અવિરતિમાં રાખે છે, તેથી નિશ્ચયનયથી તો આ પુણ્યાનુબંધી પુણ્ય હોવા છતાં હેય છે. વ્યવહારનય પ્રારંભમાં ઉપાદેય ગણે છે, પરંતુ ઉંચી ભૂમિકામાં તો તે પણ હેય માને છે. સાવધ પુણ્યથી મળતા ભોગસુખને જોઈને સમ્યગ્દૃષ્ટિ જીવોને આનંદ નથી થતો. કયારે છૂટીએ તેવી ભાવના રહે છે. તે વિચારે છે મહાપુરૂષો કેવી અપૂર્વ કોટિની સાધના કરી ગયા, અમે કયારે છૂટીશું ? જો કે તેમનો તાત્ત્વિક ધર્મ શુદ્ધ હોવાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન થતો નથી માત્ર વિલંબ થાય છે. અલ્પ માત્ર બંધ પણ નિકાચિત થતો નથી. ભોગ વખતે અવિરતિને કારણે પાપબંધ હોય તો પણ તે પરિણામ ત્યાગનો હોવાથી અનુબંધ વિરતિનો પડે છે. તે નિકાચિત પાપ કે નિકાચિત સાવધપુણ્ય બાંધતા નથી. પાંચમી સ્થિરાદેષ્ટિ સમ્યક્ત્વના મહાન ગુણયુક્ત હોવાથી તેની સાથે બીજા ઘણા ગુણો વિકસિત થાય છે. આત્મા અનંત ગુણોના વૈભવનો ખજાનો છે. તે પરમ પુરૂષોએ પ્રગટ કર્યો, અનુભવ્યો. તેને શકય તેટલો વાણી દ્વારા પ્રસ્તુત કર્યો, યદ્યપિ તે વાણીનો વિષય જ નથી. છતાં પરોપકાર વશ જગતના જીવો સમજી શકે તે રીતે જગતના પદાર્થોની ઉપમા આપી સમજાવા પ્રયત્ન કર્યો કે તે રત્નનો ખજાનો, સ્ફટિક જેવો નિર્મળ, આકાશ યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૬ ૨ For Private & Personal Use Only સ્થિરાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy