SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કરે તેમાં તેની ભાવશુદ્ધ અને હૃદયોલ્લાસ હોય છે. સમ્યક્ત્વના લક્ષણો અને ગુણોથી વિભૂષિત હોય છે. આ ર્દષ્ટિ વેદ્યસંવેદ્યપદયુક્ત (સ્વાભાવનું સંવેદન) છે, એક કષાયના અભાવ હોવાથી તેટલા વૈરાગ્યના અંશો સહિત છે. વળી તત્ત્વદર્શનઅનુભવ અલ્પાંશે પણ અભ્રાંત છે. તદ્ભુતુ અનુષ્ઠાન હોવાથી જે ધર્મક્રિયા હોય તેવા પરિણામપૂર્વક તે ક્રિયા કરતા હોય છે. ગુણવૃદ્ધિ અને દોષહાનિને બરાબર સમજે છે. અન્યધર્મની ક્રિયામાં યોગ્ય કે અયોગ્યપણું બરાબર સમજે છે. અન્ય ધર્મમાં રહેલા જીવો પૂર્વના સંસ્કારથી કે વર્તમાનના ઉત્તમ યોગને પ્રભાવે નૈસર્ગિક સમ્યક્ત્વ પામ્યા હોય તો તેવા જીવો યોગમાર્ગની ક્રિયા વિધિને જાણી લે છે અને તે પ્રમાણે સાધના કરે છે. પોતાની પૂર્વ અવસ્થા કે વિધિ-વિધાનોનો આગ્રહ ત્યજી દે છે. ઉત્તમ જીવોનો પરિચય થાય છે. આ સર્વ પ્રભાવ ભ્રાંતિદોષ ટળ્યા પછી સમ્યક્ત્વ કે સૂક્ષ્મબોધનો છે. સમ્યગ્દષ્ટ આત્મા જ વિવેકપૂર્વકનો શુદ્ધ આચાર પાળે છે અને અન્યને બતાવે છે. વેધસંવેધપદ યોગમાર્ગનું અતિ મહત્વનું સ્થાન છે. કર્મબંધ અને મોક્ષપ્રાપ્તિના જે કારણો છે તે વેધ હેવાય છે તે બંનેનું યથાર્થજ્ઞાન તે સંવેદન છે. અવેધવેધપદ મિથ્યાત્વનું કર્મબંધનું કારણ છે વેધસંવેધપદ સમક્તિીપદ છે. “અહો સમ્યગ્દષ્ટિ આત્મા, કરે કુંટુંબ પ્રતિપાળ, અંતરગત ન્યારો રહે, જિમ ધાવ ખિલાવે બાળ.'' રાગદ્વેષરૂપ મોહનો ગ્રંથિભેદ થવાથી, અજ્ઞાનનો અંધકાર દૂર થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિનો પ્રભાવ બતાવતા ગ્રંથકાર બાળ ધૂલીગૃહની ક્રીડાનું દૃષ્ટાંત આપે છે. બાળકો ધૂળના ઘર બનાવે છે. બાળચેષ્ટાને કારણે તેમને કોઈ એવું જ્ઞાન નથી કે આ ઘર પવનથી પડી જશે, પાણીમાં તણાઈ જશે. એટલે પડી જવા છતાં વારંવાર ઘર બનાવે છે, તેની અસારતાનું જ્ઞાન નથી. સમ્યગ્દષ્ટિ આત્મા વિચારે છે કે આ સંસાર આવો અસાર છે. પુણ્યોદયે વસ્તુની પ્રાપ્તિ થાય અને પાપોદય શરૂ થતાં સર્વ સામગ્રી નાશ પામી જાય. લક્ષ્મી તો જાણે પગ કરીને ચાલી જાય છે. તે સર્વ વસ્તુઓ અને ભોગવિલાસ નાશવંત ), અસ્થિર છે. આવું સમજીને તે વસ્તુના યોગદિષ્ટ સમુચ્ચય Jain Education International ૨૫૭ For Private & Personal Use Only સ્થિરાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy