SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ યોગાંગ-પ્રાણાયામ : ગ્રંથકારે આઠ દૃષ્ટિના વિકાસક્રમમાં પાતંજલ યોગશાસ્ત્રના આધારે આઠ અંગનું નિરૂપણ કર્યું છે તે અન્વયે આ દૃષ્ટિનું પ્રાણાયામ ચોથું યોગાંગ છે. પ્રાણાયામના બે ભેદ છે એક દ્રવ્યપ્રાણાયમ, બીજો ભાવપ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામ : અશુદ્ધ હવાને બહાર કાઢવી તે રેચક અને શુદ્ધ હવાને અંદર લેવી તે પૂરક. શરીરમાં શ્વાસને થંભાવી દેવો તે કુંભક પ્રાણાયામ છે. દેહલક્ષી હોવાથી તે દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે. - દીપ્રાદેષ્ટિમાં ભાવપ્રાણાયામ હોય છે. તેથી ચિત્તમાં રહેલા અશુભ ભાવોનું રેચન કરી શુભ ભાવોનું પૂરણ કરે છે. યદ્યપિ આ દૃષ્ટિ હજી આગળની દૃષ્ટિ જેવી વિકસિત ન હોવાથી જીવને અશુભભાવોથી સતત જાગૃત રહેવું પડે છે. નિકાચિત કર્મના ઉદયથી ચિત્તમાં અશુભભાવો પેદા થાય ત્યારે વળી તેમાં સંસ્કારવશ ઉપાદેયબુદ્ધિ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે. આ દૃષ્ટિવાળા જીવને ભાવપ્રાણાયમને કારણે આત્મબળ પ્રગટે છે. જૈનદર્શનમાં યોગાચાર્યો ભાવપ્રાણાયામને ચોથા યોગાંગ તરીકે માને છે. કેમકે યોગદષ્ટિનો ક્રમ આધ્યાત્મિક છે. અન્ય દર્શનોનાં આચાર્યો દ્રવ્યપ્રાણાયામને ચોથું યોગાંગ માને છે. તેઓનું માનવું એવું છે કે શરીરમાંથી અશુભ નીકળી જવાથી અને શુભવાયુના આવવાથી, શ્વાસ વ્યવસ્થિત ભરાવાથી ચિત્તગત જે જ્ઞાન પ્રકાશ છે તેના પરથી રાગાદિ કલેશના આવરણો નાશ પામે છે. તેથી સ્થિર, નિર્દોષ અને નિર્મળ થયેલું ચિત્ત વિશિષ્ટ જ્ઞાન પ્રકાશની પ્રાપ્તિ અને ધારણા માટે યોગ્ય બને છે. - યદ્યપિ યોગ સાધનામાં શરીર બાહ્યા સાધન છે. તેથી તેની ઉપયોગીતામાં દ્રવ્યપ્રાણ કંઈક અંશે સાધનરૂપ બને, છતાં તે દેહલક્ષી હોવાથી તથા શ્વાસ ઉચ્છવાસને રોકવામાં વ્યાકુળતા થાય તો ચિત્તની ચંચળતા થવા સંભવ છે. વિશેષ વ્યાકુળતા થાય તો પ્રાણનાશનો સંભવ છે. આથી જૈનદર્શનમાં શ્વાસ રૂંધન કે જયને પાયે સ્થાન આપવામાં આવ્યું નથી. ભાવપ્રાણને હિતકારી માન્યો છે. ભાવપ્રાણ શું છે ? ૧. આત્મામાંથી પરભાવ શુભાશુભભાવનો ત્યાગ કરવો તે રેચક. ૨. આત્મામાં અંતરાત્મભાવ-શુદ્ધભાવ પ્રગટાવવો તે પૂરક. ૩. આત્માને સ્વભાવ દશામાં સ્થિર કરવો તે કુંભક ભાવપ્રાણાયામ. ભાવપ્રાણાયામ કેવી રીતે થાય ? યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨૪૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy