SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિમાં વિવેકબુદ્ધિનો વધુ વિકાસ થતો જાય છે. છતાં પણ મોહનીયકર્મનો તીવ્ર ઉદય થતાં જ્ઞાનાવરણીયનો પણ ક્ષયોપશમ ઘટવાથી જ્ઞાનબોધમાં ઉપાદેયબુદ્ધિ નષ્ટ થવા સંભવ હોય છે. દીપ્રાર્દષ્ટિને દીપકની ઉપમા આપી છે. જેમાં તેલ, વાટ, કોડિયા જેવા સાધનોની અપેક્ષા છે, સ્વયં પ્રકાશિત નથી. વળી તે દીવો જયાં હોય ત્યાં મર્યાદામાં રહેલા પદાર્થોને જણાવે છે. ભીંત જેવા આવરણ હોય તો તે પ્રકાશ પદાર્થોને જણાવતો નથી. મહાવાયુથી બુઝાઈ જાય છે. દૂર રહેલા કે સૂક્ષ્મ પદાર્થોને જણાવતો નથી. તે પ્રમાણે આ દૃષ્ટિવાળા જીવને બોધની મર્યાદા છે, સૂક્ષ્મ પદાર્થોના રહસ્યોનો બોધ નથી. વળી આ બોધમાં અસ્થિરતા છે. ચિત્ત ચલાયમાન થઈ જવા સંભવ છે. ‘સહજાનંદી રે આત્મા, સૂતો કાંઈ નિશ્ચિંત રે, મોહ તણા રણિયા ભમે, જાગ જાગ મતિમંત રે.'’ દીપ્રાદેષ્ટિમાં યોગમાર્ગનો પાયો મજબૂત થતો જાય છે. વળી આ દૃષ્ટિમાં મિથ્યાત્વની વિદાયવેળા-અંતિમ કાળ છે. અને સમ્યક્ત્વ પ્રાપ્તિનો પ્રારંભ થાય છે. આમ દૃષ્ટિની વિશેષતા હોવાથી ક્ષોભ સ્ખલના જેવા દોષ દૂર થાય છે. છતાં સૂક્ષ્મબોધ ન હોવાથી શુદ્ધિનો વિકાસ નથી. અવેધસંવેધપદ શું છે ? ચોથી દીપ્રાદેષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય મંદ છે છતાં તે બાધક છે. આથી આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. આગળની ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોય છે. આરાધક જીવે એ સમજીને સત્પુરૂષાર્થ વડે આગળ વધવાનું છે. મિથ્યાત્વના ઉદયમાં જીવની વિવેકબુદ્ધિ નષ્ટ હોય છે તેથી ભોગસુખની આસક્તિમાં જીવને મૂંઝવે છે અને અશુભપ્રવૃત્તિ કરાવે છે, જેના વડે આત્મા મલિન-કષાયવાળો થાય છે. અજ્ઞાની જીવો આ દૂષમ કાળમાં કર્મભૂમિમાં ધર્મમાર્ગની સામગ્રીવાળો માનવદેહ મળવા છતાં ભોગસુખમાં આસક્ત થઈ અધર્મ વડે દુઃખી થાય છે. મિથ્યાત્વરૂપી અંધાપા-અજ્ઞાનને શાસ્ત્રમાં અવેઘસંવેદ્યપદ નામ આપવામાં આવ્યું છે. અર્થાત્ જે વસ્તુ જેવી છે તેનાથી વિપરીત માન્યતા-અનુભવ કરવો તે અવેઘસંવેદ્ય કહેવાય છે. તેથી તેને સંસારના ભોગ દુઃખદાયક છતાં સુખરૂપ લાગે છે. અધ્યાત્મસુખ પરમસુખકારી છતાં કષ્ટદાયક લાગે છે. જેમ મેલેરીયાના દર્દીને સાકર કડવી લાગે તેમ મિથ્યાત્વના ઉદયે જીવ ભ્રમથી વિપરીત અનુભવ કરે છે. અતત્ત્વ ને તત્ત્વ માને છે. દીપ્રાદેષ્ટિમાં કંઈક વિવેક છે છતાં મિથ્યાત્વના કારણે તે અવિવેકરૂપ છે. વળી તે વિવેકની યોગ્યતા પ્રમાણે હેય ઉપાદેયનું જ્ઞાન અલ્પાધિક યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૨૭ For Private & Personal Use Only દીપ્રાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy