SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્થિરતા તે દ્રવ્યઆસન છે. જે જે અનુષ્ઠાનની જે જે કાળમર્યાદા હોય ત્યાં સુધી સ્થિરતાથી સુખપૂર્વક બેસવા માટે આસનસિદ્ધિ આવશ્યક છે. આગળની બે દૃષ્ટિમાં સાધ્ય થયેલા યમનિયમના સંસ્કારથી ધર્મકાર્યમાં ઉપાદેયબુદ્ધિ વૃદ્ધિ પામે છે. એટલે પરભાવમાં આસન કરી રહેલા ચિત્તને સ્વભાવદશામાં આસન (સ્થિરતા) આપવું તે ભાવ આસનની મુખ્યતા છે. ત્રીજી બલાદૃષ્ટિમાં હજી મિથ્યાત્વની હાજરી છે છતાં યોગદષ્ટિ હોવાથી આત્મત્વમાં ઉપાદેયતા વિશેષ છે. અસતુ વાસનાઓ આ જીવને સતાવતી નથી. ભાવમલનો ઉત્તરોત્તર ક્ષય અને મોહનીયકર્મના ક્ષયોપશમ જન્ય વિશુદ્ધિની વૃદ્ધિ થતી હોવાથી ભોગમાં ઉપાદેયબુદ્ધિ ઘટતી જાય છે. તેથી તે હંમેશા વિચાર કરે છે હું કોણ છું ! કયાંથી આવ્યો છું! અનાદિકાળથી કેમ રખડું છું ? આમ આત્મહિતને વિચારતો સાંસારિક વ્યવહારનો સંક્ષેપ કરી, પ્રાથમિક જરૂરિયાતને યોગ્ય ન્યાય આપી સંતોષ માને છે. આથી ચિત્તની ચંચળતા કે આકૂળતા શમી જવાથી સુખાસન ભૂમિકામાં આવે છે. તે જે કંઈ ધર્મવિધી કરે ત્યારે તેમાં જ દત્તચિત્ત હોય છે. આથી જે જે ક્રિયા કરે તેનું ભાવાત્મક પરિણામ આવે છે. બલાદષ્ટિવાળાનું ચિંતન : હે જીવ ! તારા પૂર્વના પુણ્યોદયે અને દેવગુરુકૃપાએ ઉત્તમ યોગ મળ્યા છે. તારી પાત્રતા કરતા પણ વિશેષ તને સગુરુજનોનો સમાગમ મળ્યો છે. તેમના બોધમાં તત્પર રહેજે. પ્રમાદ સેવતો નહી. ઘણા જન્મો પછી ઘણી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે ઉત્તમ ગુણીજનોની પ્રાપ્તિ દ્વારા ગુણોનું સ્વમાં સંવર્ધન થાય છે. દેહ અને દેહાદિ અન્ય સંયોગો પૂર્વે અનેકવાર મળવા છતાં કંઈ કલ્યાણ થયું નથી હવે આ ભવ તો કેવળ આત્માર્થે જ યોજી લે તો જન્મ સાર્થક થશે. પથ લાંબો છે પરંતુ ઉદ્યમી રહેજે તો સફળતા મળશે. બલાદષ્ટિવાળાની સંપત્તિ સ્વ-પર શ્રેયરૂપ જ્ઞાનવૃદ્ધિ, અનુષ્ઠાનોમાં આદર અને નિષ્ઠા, વિક્ષેપ કે વિલંબ રહિત ધર્મારાધના, પાપપ્રવૃત્તિનો પરિહાર, તત્ત્વનો બોધ, તેવા શાસ્ત્રોનું શ્રવણ, તેવા યોગીજનોના સમાગમની તત્પરતા, તે તે અનુષ્ઠાનોને યોગ્ય આસન કે મુદ્રાઓની સ્થિરતા, કષાયોની મંદતાને કારણે તીવ્ર કર્મબંધનો અભાવ, ક્ષમાદિ ગુણોનું સહજ સેવન, ભોગ પરાયણતાથી વિમુખ થઈ યોગ પરાયણતાની ઉચ્ચ ભાવના. આવા ઉત્તમ જીવનના કારણે લોકપ્રિયતા વધે છે. સર્વત્ર યશકીર્તિ ફેલાય છે. ધર્મપરાયણ જીવને કારણે મહોદય પામે છે. જીવનમાં વિદન નડતા નથી તેવો પુણ્યપ્રકોપ વર્તે છે. આખરી મૂડી સમાન આત્મપરિણતિમાં સ્થિરતા આવે છે જેથી આ સાધક યોગમાર્ગમાં આગળ વધે છે. Jain Eયોગદષ્ટિ સમુચ્ચય For Private? Ry sonal Use Only Www બલાદેષ્ટિy.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy