SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આ દૃષ્ટિનો વૈરાગ્યભાવ એવો છે કે જીવમાં અસત્ વાસનાઓ પેદા થતી નથી. પ્રાપ્ત સામગ્રીમાં સંતોષી હોય છે. મોહનીય કર્મના વિશેષ ક્ષયોપશમને કારણે ભાવમલ વધુને વધુ ઘટતો જાય છે. તેથી ભોગોમાં ઉપાદેય બુદ્ધિ, ભોગો ભોગવવા જેવા છે તેવો અભિપ્રાય ઘટતો જાય છે. શરીરના ધર્મોને નિભાવવા જેટલા વસ્ત્રો, આહાર, ઔષધ, સ્થાન, ઉપધિ રાખે છે. પરંતુ આસક્તિના કારણે સંગ્રહ કરતા નથી. ધર્મના ઉપકરણમાં પણ મર્યાદા રાખે છે. તેના રૂપરંગ કે શોભામાં આસક્તિ રાખતો નથી. આ દૃષ્ટિમાં બોધના બળથી આ જીવ સંસારનું સ્વરૂપ વિચારે છે, કે જીંદગી અલ્પ છે તૃષ્ણા અનંત છે. જીવ વિષયવાસનાથી ધરાતો નથી. ઈચ્છાપૂર્તિ થતી નથી અને એ જ આકુળતા છે. આકુળતા દુઃખનું મૂળ છે. આમ વિચારીને મળેલા પુષ્પયોગનો ઉપયોગ કરી, વૈરાગ્ય બળ વધારે છે. તેથી કોઈ વિક્ષેપ કે અંતરાય પણ આવતા નથી. નિર્વિદને ધર્મમાર્ગે સ્થિર થતો જાય છે. શુદ્ધ સાધ્યની સિદ્ધિ માટે અંતરંગના શુભભાવો જેવા અત્યંતર ઉપકરણનું સેવન કરે છે. “વિઘન ઈહાં પ્રાયે નહીંજી, ધર્મહતુ કોય અનાચાર પરિહારથીજી સુયશ મહોદય હોય રે.” -આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી પ્રથમ દૃષ્ટિમાં ખેદ દોષક્ષય, બીજી દષ્ટિમાં ઉગ દોષક્ષય, આ ત્રીજી દૃષ્ટિમાં ક્ષેપ દોષક્ષય થાય છે. પ્રથમના બે પ્રકારની ભાવના જીવમાં રહી છે તેમાં આ દોષક્ષયથી વૃદ્ધિ થવાથી જીવ યોગ માર્ગમાં સ્થિર થતો જાય છે. સામાયિક આદિ ધર્મ ક્રિયામાં સ્થિરતા આવે છે, જીવનમાં ધર્મ જ કરવા જેવો લાગે છે. એટલે ક્ષેપ, વિક્ષેપ, ચંચળચિત્ત ન હોવાથી આકુળતા કે દોડાદોડ વગર શાંતચિત્તે ઉલ્લાસપૂર્વક જિનેશ્વરભક્તિ, ગુરુસેવા, અધ્યયન કરે છે. તેમાં તન્મય થાય છે. આ કારણે સામાયિકધર્મથી સમભાવ, ભક્તિના યોગ્યથી વેરાગ્ય, પ્રતિક્રમણ જેવી ક્રિયા દ્વારા પાપ પ્રતિહાર અને તપ દ્વારા દેહાધ્યાસ ઘટે છે. આમ દરેક અનુષ્ઠાનોમાં પરિણામની દઢતા હોય છે. ગુણપ્રાપ્તિ-તત્ત્વશ્રષા : પ્રથમ દૃષ્ટિમાં તત્ત્વની રૂચિ હતી, બીજી દૃષ્ટિમાં તત્ત્વ જિજ્ઞાસા (આંતરિક ભાવનાની દઢતા) ત્રીજી દૃષ્ટિમાં તત્ત્વ શુશ્રુષા-ઉત્તરોત્તર તત્ત્વવિષયક રૂચિ બળવાન થાય છે. શાસ્ત્રકારે ઉપમા આપી છે કે કોઈ કુશળ યુવાન મનોહર સ્ત્રીની સાથે બેઠો હોય અને દિવ્ય ગાનના શ્રવણમાં જે સુખ અનુભવે તેના કરતાં પણ આ જીવ તત્ત્વ શ્રવણમાં અધિક આનંદ અનુભવે છે. કયારેક જો તેને સદગુરુનો યોગ ન મળે તો સ્વયં તત્ત્વબોધનું ઝરણું પોતાના આત્મબળથી યોગદષ્ટિ સમુરચય બલાદષ્ટિ ૨ ૨ ૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy