SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રુરતા, આક્રોશ જેવા દોષથી દૂર હોય છે અને ધીર ગંભીર, દાક્ષિણ્ય, ઉદારતા, સરળતા જેવા ગુણોથી ભરપૂર હોય છે. તારાદ્રષ્ટિવાળા જીવોની ગુણો પ્રત્યેની રૂચિ હોય છે તેનાથી વિશેષ જિજ્ઞાસા ગુણવાન જીવોનાં ગુણો મેળવવાની હોય છે. પવિત્ર સ્થાનોમાં અન્યની ધર્મક્રિયાની ઉત્તમતા જોઈને તેમની ભાવના વૃદ્ધિ પામે છે. આ જીવોને અન્યનો ઉત્કર્ષ ધર્મ પ્રભાવના જોઈને ઈર્ષા ખેદ કે નિંદાત્મકવૃત્તિ થતી નથી પણ તેમના હૈયામાં અહોભાવ આવે છે. વળી જયારે ત્યાગીજનોના સંપર્કમાં આવે છે ત્યારે તેમને પોતાની સંસારી અવસ્થા માટે ખેદ થાય છે. તે વિચારે છે કે હું સંસારથી મુક્ત કયારે થઈશ ? તત્ત્વજિજ્ઞાસા આદિ ગુણોને કારણે તે નિઃશંક હોય છે. શાસ્ત્રો ગહન છે, તેમાં અતીદ્રિય પદાર્થોના આશ્ચર્યજનક વર્ણનો આવે, ગુણસ્થાનની દશાનું સૂક્ષ્મ વર્ણન આવે, અનુત્તર વિમાનવાસીઓના સુખનું વર્ણન આવે ત્યારે તે શ્રદ્ધા વડે ગ્રહણ કરે છે. આવી દ્રઢ શ્રદ્ધાથી તેનો નિશ્ચય છે કે મને મોક્ષમાર્ગ મળ્યો છે. પછી બીજી પ્રણાલિનું જ્ઞાન ન હોય તો પણ મારી સાધનામાં કંઈ અવરોધ નથી. તે મુખ્ય બોધ ગ્રહણ કરી લે છે કે મારે સંસાર હેય છે ધર્મ ઉપાદેય છે. જો કે હજી સંસારના સુખોનું આકર્ષણ છે. છતાં હેય ઉપાદેયનો વિવેક હોવાથી તત્ત્વબોધની વૃદ્ધિ થતી રહે છે. ધનનો અર્થ જેમ ધનની પ્રાપ્તિ માટે, વૃદ્ધિ માટે પરિશ્રમ કરે છે. તેનાથી વિશેષ તે યોગની ક્થાવાર્તા અને તત્ત્વ સમજવા પ્રયત્ન કરે છે. સંસારના સુખ પ્રત્યે આકર્ષણ છતાં હવે ભોગકથા તેને રૂચતી નથી. આત્મહિતકારી યોગકથા તેને સુધારસ જેવી લાગે છે. આંશિક તત્ત્વબોધ પણ યોગદૃષ્ટિયુક્ત હોવાથી તે વિચારે છે કે પૌદ્ગલિક, સાંસારિક, વ્યવહારિક કથા તો દીર્ઘકાળથી કરતો આવ્યો છું. આ માનવદેહમાં પરમ દુર્લભ એવી યોગકથા અને તેનું શ્રવણ કરવાનો યોગ મળ્યો છે તે હવે ગુમાવવો નથી. જેમ સીનેમા નાટકના રસિયા નવા પ્રકારો બહાર પડે કષ્ટ પડે તોય તે જોવા દોડી જાય, ઉજાગરા કરે તેથી વિશેષ ભાવથી આ સાધક યોગીજનો પાસે યોગકથા શ્રવણ કરવા દોડી જાય છે, કષ્ટ લાગતું નથી. મેઘઘટા જોઈને મોર નાચે તેમ એવા પ્રસંગે તેનો મનમોરલો નાચી ઉઠે છે, આવો ઉલ્લાસ કર્મોની નિર્જરારૂપ બને છે. તે જીવ વધુને વધુ યોગદૃષ્ટિમાં આગળ વધે છે. યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૨૦ For Private & Personal Use Only તારાષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy