SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આફ્લાદ તત્ત્વશ્રવણમાં આવે છે. પાતાળકુવામાં જેમ પાણીની સરવાણી સહજ ફૂટ્યા કરે છે. તેમ તેને તત્ત્વના બોધના પ્રવાહની સરવાણી સ્ફર્યા કરે છે. જ્ઞાનસ્વરૂપ આત્માની સહજ જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે. તેથી જીવ જ્ઞાનાનંદમાં ઝૂલે છે. આ શુશ્રુષાબીજ જ્ઞાનપ્રવાહરૂપ ફળને આપે છે તે અક્ષય બીજ તુલ્ય છે જે નષ્ટ થતું નથી. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમથી થયેલી શુશ્રુષા પરમ શુશ્રુષા છે. જેના કારણે સઉલ્લાસ બોધ શ્રવણ થાય છે. જે તત્ત્વવાણીના શ્રવણથી મન ઉલ્લાસિત થાય, પ્રસન્ન થાય, આનંદિત થાય, બોધ પામે તે શુક્રૂષા. કથંચિત તત્ત્વશ્રવણનો યોગ ન મળે તો પણ આંતરિક જ્ઞાનપ્રવાહના બળથી જ્ઞાનનો અંતરાયકર્મ તૂટે છે. યોગ અંગેની સત્કથા ઉપર અંતરનો ઉલ્લાસ, પરમ પ્રીતિ જાગે છે. વળી જે યોગી મહાત્માઓ યોગદશામાં વર્તે છે તેમના પ્રત્યે બહુમાન આવે છે. તારાદષ્ટિવાળો સાધક યોગદષ્ટિના અંકુરવાળો છે. તેને બોધ છે કે અર્થ અને કામની કથા તો બહુ કરી, ઘણા જન્મો ગુમાવ્યા. યોગકથાઓ જ આત્મહિતકારી છે. સાચા સુખનું ઉત્કૃષ્ટ સાધન છે, વળી આ બોધ માનવજન્મમાં જ મળે છે. તેથી હવે તે યોગકથાનું અમૃતપાન કરે છે. તેમાં મગ્ન રહે છે. તેવા યોગ તે શોધ્યા કરે છે. પ્રતિકૂળતા વેઠીને, દેહકષ્ટ સહીને પણ તે યોગકથાઓના શ્રવણ માટે દોડી જાય છે. વળી યોગીજનોની વૈયાવૃત્તમાં ઘણી ભક્તિ ધરાવે છે. તેને કારણે તે સાધકનું પુણ્યયોગ-હિતોદય ઘણો ઉદયમાં આવે છે. એના શોકનો સંતાપ, ઉપદ્રવો દૂર થાય છે. ગુરુકૃપાનું ભાજન હોવાથી સ્વયં સન્માનનીય બને છે. તારાદેષ્ટિવાળો સાધક સામાન્યપણે અશુભ-હિંસાદિ જેવી પાપપ્રવૃત્તિ કરતો નથી. તેથી તેને ભય પણ સતાવતો નથી. વળી જેમ જેમ તત્ત્વબોધ પરિણામ પામે છે તેમ તેમ ભવભય પણ ટળે છે. કર્મમળ હળવો થતાં તેને ભયજનિત ભાવો થતા નથી. મારે મોહ શો ? ભય શો ? વિકલ્પ શાના? તેમ સહજપણે જીવનકાર્ય કરે છે. પાંચવ્રતોનું યથાશક્તિ પાલન કરે છે. તેથી અનુચિત ક્રિયા કરતો નથી. યોગીજનોનો સંપર્ક વિશેષ હોવાથી તેની સક્રિયા પ્રત્યે પ્રીતિ વૃદ્ધિ પામે છે. તે હંમેશા યોગીજનોની ઉચ્ચદશા તરફ દષ્ટિ રાખતો હોવાથી યોગદૃષ્ટિ સમુચ્ચય તારાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy