SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સંશુદ્ધચિત્તની મુખ્યતા છે તેમ ભાવાચાર્યાદિની સેવા ભક્તિ-વૈયાવચ્ચમાં સંશુદ્ધચિત્તની વિશેષતા છે. કેવળ કુશળચિત્ત એટલે ઉપાદેય ભાવવાળી ભક્તિ અભિપ્રેત નથી પરંતુ કોઈપણ અપેક્ષા વગરની ભક્તિ એ સંશુદ્ધચિત્ત છે. મિત્રાદષ્ટિવાળો જે પ્રમાણે પરમાત્માની ભક્તિ કરે છે. તેવી જ રીતે આશંસારહિત, આદરસહિત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, તપસ્વી વગેરેની ભક્તિ કરે છે. અત્રે એ વિશેષતા છે કે ભાવાચાર્ય એટલે શુદ્ધાચારના પાળનારા ગુણવાન ગુરુજનોની ભક્તિ કરે છે. મિત્રાદેષ્ટિવાળો પારખુ છે તે ગુણવાન નિસ્પૃહ, નિગ્રંથ મહાત્માને ઓળખી લે છે, અને આરાધે છે. મિત્રાદેષ્ટિવાળો અન્યધર્મી હોય તો પણ તે ગુણિયલ હોય તેવા ગુરુજનોને નમે છે. જૈન મતવાળો જિનાજ્ઞાનુસાર આચારનું પાલન કરનારા નિગ્રંથ આચાર્યાદિની સેવા ભક્તિ કરે છે. આ દૃષ્ટિમાં સાધકને જેમ વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે તે પ્રમાણે વીતરાગ આજ્ઞાનુસાર આરાધના કરનારા, શુદ્ધ રત્નત્રયના ઉપાસક, સંસારત્યાગી, મહાવ્રતી નિગ્રંથ આચાર્યાદિ-સાધુ મહાત્માઓની પણ બહુ આદરપૂર્વક વૈયાવચ્ચ કરે છે તે યોગબીજ છે. વીતરાગ પરમાત્માનો સાક્ષાત યોગ ન હોય ત્યારે આ કાળમાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા આચાર્યાદિ છે. તે સર્વજ્ઞ વીતરાગ ધર્મના સ્થાપક છે. તે પ્રમાણે ધર્મની પ્રભાવના કરનાર ધર્મગુરુ-આચાર્ય આદિ સાધુ ભગવંતો છે. મોક્ષમાર્ગના ગુરુ નિષ્પરિગ્રહી નિગ્રંથ ગુરુ જ હોય. સામાન્ય ઉપદેશક, શાસ્રશિક્ષા આપનાર પંડિત કે જ્ઞાનીગૃહસ્થ હોઈ શકે. તેમણે દ્રવ્યલિંગી કે ભાવલિંગી મહાવ્રતી સાધુઓથી પોતાની વિશેષતા માનીને સાધુપણાથી વંચિત થવાનું કર્મબંધન કરવું નહિ. વ્યાપાર, ધંધા, પુત્ર, પરિવાર સહિતને ભાવસાધુ માનીને અવર્ણવાદમાં પડવું નહિ. તેમાં ભરત ચક્રવર્તી આદિના અપવાદના દાખલા આપી ઉન્માર્ગે જવું નહિ, અન્યને દોરવા નહિ. જેના કર્મ વિપાકે દ્રવ્યલિંગી અને ભાવલિંગી ઉભયથી વંચિત જ રહેવાનું આવશે. યદિપ જેઓમાં ગુણોનો અભાવ છે. કોઈ અપેક્ષાએ સાધુવેશ ધારણ કરાયો છે. પૌદ્ગલિક સુખના રાગી છે. એવા બાહ્યવેશધારી દ્રવ્યાચાર્યાદિને માનવા તે કુશલચિત્ત નથી. જેની પાસે ધર્મ પામવો છે તેની શાસ્ત્રાનુસારી કસોટી કરવી. ગુણિયલ, શુદ્ધ આચારવાળા, આત્માર્થના રાગી, આત્માર્થ દર્શાવનારા બાહ્ય-અત્યંતર આચારવાળા, રત્નત્રયીના પરમસાધક એવા ભાવાચાર્ય ઉપકારક છે. તેવા પ્રત્યે કુશલચિત્તાદિ તે યોગબીજ છે. આચાર્યાદિ તમામ મુનિ મહાત્માઓની વૈયાવચ્ચ કરવી. આશંસારહિત યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૦૭ For Private & Personal Use Only મિત્રાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy