SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આકાંક્ષારહિત પરિણામ હોય છે. જિનેશ્વરના વીતરાગતા જેવા ગુણો પ્રત્યેના આદરથી થતા પરિણામ તે સંશુદ્ધ ચિત્ત છે. નિર્મળ રાગ હોય છે. પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે પ્રીત સગાઈ ન કોય, પ્રીત સગાઈ રે નિરૂપાધિક હી રે સોપાધિક ઘન ખોય. -શ્રી ઋષભજિન સ્તવન, શ્રી આનંદઘનજી. જિનેશ્વર પ્રત્યે નિરૂપાધિક પ્રીતિ હોય છે. કારણકે મંદમિથ્યાત્વ છતાં મિત્રાદેષ્ટિ યોગદૃષ્ટિ છે એટલે સાધકને અંશે પણ વૈરાગ્યની ભાવના જ્ઞાનગર્ભિત હોય છે. વળી આ જીવને પરલોકના દૈવી સુખની આકાંક્ષા નથી. મિત્રાદેષ્ટિવાળો જીવ આ પ્રમાણે જિનેશ્વર પ્રત્યે નિરૂપાધિક રાગવાળો, અત્યંત ઉપાદેયભાવવાળો, આલોક કે પરલોકના ભૌતિક સુખની આશંસારહિત હોય છે. આ મોક્ષમાર્ગની યાત્રાના પ્રારંભના શુભ કારણો છે. કથંચિત અન્ય મતના જીવો આ દૃષ્ટિમાં હોઈ શકે તે પોતાના દેવની ઉપર પ્રમાણે ભક્તિ કરે તો વીતરાગની ભક્તિ તુલ્ય થઈ શકે. ચરમયથાપ્રવૃત્તકરણમાં આવેલા અપૂર્વ વૈરાગ્યના બળે મોહનીયકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ પ્રકારનો હોવાથી મંદમિથ્યાત્વનો ઉદય છતાં મિત્રાર્દષ્ટિવાળો જિનેશ્વર વીતરાગદેવના ગુણો પ્રત્યે અત્યંત પ્રીતિવાળો, ઉપાદેય બુદ્ધિવાળો અને ભૌતિક સુખની અપેક્ષા રહિત હોય છે. મિત્રાર્દષ્ટિવાળો જીવ અતિ મંદ મિથ્યાત્વદશા હોવાથી સંશુદ્ધ કુશલ ચિત્તાદિના ભાવોને પામી શકતો નથી. ધર્મના ઘણા અનુષ્ઠાનો કરવામાં ઓઘદિષ્ટ બાધક થાય છે. મિત્રાદેષ્ટિવાળો સાધક પરમાત્મા પ્રત્યેની પ્રીતિ ભક્તિના કારણે જયારે તે ધર્મ અનુષ્ઠાન કરે છે ત્યારે અનાદિના સંસ્કારરૂપ સંજ્ઞાઓનું બળ ઘટી જાય છે. સાધનાકાળે આહારાદિની લાલસા નગણ્ય બને છે, કોઈ ભયના નિમિત્ત આવે તો પણ ભયભીત થતો નથી કે મારું, મારી સંપત્તિ કે મારા સ્વજનોનું શું થશે ? સર્પાદિકના ઉપસર્ગ આવે ત્યારે અનુષ્ઠાનમાં નિર્ભય રહે છે. સાધનમાં ઉપાદેયભાવનો ઉલ્લાસ એવો વર્તે છે કે સાધકને વિષયવાસના મૈથુન-વેદના ઉદય સતાવતા નથી. તે મુક્તિની પ્રાપ્તિને ઝંખતો હોવાથી પૌદ્ગલિક પદાર્થોની આકાંક્ષા છૂટતી જાય છે. આ યોગદૃષ્ટિના સામર્થ્યનો મહિમા અદ્ભૂત છે. એને સાધનાકાળે ક્રોધ, માન, માયા, લોભ સંજ્ઞાના વિકારો ઉઠતા નથી. ધર્માનુષ્ઠાનમાં તેની લીનતા, દઢતાને કારણે સંજ્ઞાઓનું બળ નષ્ટપ્રાઃય થાય છે. વળી આ દૃષ્ટિવાળો કોઈનું ખોટું અનુકરણ કરતો નથી. કે કોઈને રાજી કરવા યોગદષ્ટ સમુચ્ચય Jain Education International ૨૦૫ For Private & Personal Use Only મિત્રાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy