SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ને કર્મોનો નાશ થયા પછી કેવળી ભગવંતને આયુષ્ય હોય તેટલું જીવન હોય છે. પરંતુ વેદનીય નામ અને ગોત્ર આયુષ્યકર્મ પર નિર્ભર છે. એટલે તે ત્રણકર્મની સ્થિતિ આયુષ્યકર્મ જેટલી હોવી જોઈએ. પરંતુ કોઈવાર તેવું બનતું નથી. આયુષ્ય કરતાં તે ત્રણ કર્મની સ્થિતિ વધારે હોઈ શકે. હવે જે જીવનો જન્મ છે તે તો બાકીના કર્મો આગામી જન્મમાં ભોગવી લે. પરંતુ જે જીવો નિર્વાણ પામવાના છે તેમના ત્રણે કર્મો શેષ રહ્યા હોય કે જે શુક્લધ્યાનમાં ક્ષય થતાં નથી. અને કર્મો સાથે મોક્ષે જવાતું નથી. એટલે કેવળી ભગવંત સમુઘાત કરે છે. તેમાં વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યકર્મ પ્રમાણ કરવી પડે તેવો પ્રયોગ માત્ર કેવળજ્ઞાનીજ કરી શકે છે. તેવું સામર્થ્ય અન્ય જીવોમાં હોતું નથી. વળી બધા જ કેવળજ્ઞાનીને આ પ્રયોગ કરવાનો હોતો નથી. જે કેવળજ્ઞાનીને આયુષ્યકર્મ કરતાં અધિક સ્થિતિ વેદનીયાદિ કર્મની હોય તે જ કેવળજ્ઞાની તે ત્રણેની સ્થિતિ આયુષ્યકર્મ જેટલી કરવા સમુઘાત કરે. આત્માનું લોકવ્યાપી ઉત્કૃષ્ટગમન તે સમુદ્યાત. તેના સાત પ્રકાર છે. વેદનીય, કષાય, મરણાન્તિક, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી. પ્રથમ છ છઘસ્થ આત્માને હોય છે. તે પહેલા ક્રમમાં આવી ગયા છે. કેવળી સમુઘાતમાં કેવળજ્ઞાનીના શરીરમાંથી આત્મ પ્રદેશો શરીરનો ત્યાગ કર્યા વગર નીકળે, ત્યારે તેની જુદી આકૃતિઓ રચાય અને વિખરાય. કેવળજ્ઞાની પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે સમુદ્યાત કરે, આ પ્રયોગમાં કર્મબંધ થતો નથી. પરંતુ નિર્જરા-ક્ષય છે. આ પ્રયોગ ફકત આઠ સમયનો છે. આ ક્રિયામાં કાયયોગનો ઉપયોગ હોય છે. પ્રયોગ : પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ પહોળો, અને ઉર્ધ્વ અધોલોક પ્રમાણ ઉંચો, પોતાના આત્માની દંડાકૃતિ બનાવે બીજા સમયે પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં આત્માની કપાટો કૃતિ બનાવે (ચોરસ) ત્રીજા સમયે આત્માની મંથાન (વલોણું) આકૃતિ બનાવે. ચોથા સમયે આત્માના પ્રદેશો સમગ્ર લોકવ્યાપી બની જાય આ રીતે આત્મપ્રદેશો ફેલાવ્યા પછી પાંચમા સમયથી સંકોચે. પાંચમા સમયે મંથાનરૂપે બની સંવરે. છઠ્ઠા સમયે કપાટરૂપે બની સંવરે સાતમા સમયે દંડરૂપે બની સંવરે. આઠમા સમયે શરીરસ્થ બની જાય. આ સમુઘાતના પ્રયોગ દ્વારા કેવળજ્ઞાની મહાત્મા વેદનીયાદિ ત્રણે કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યસ્થિતિ પ્રમાણ કરે છે. આ અભૂત પ્રશમરતિ ૧૮૫ સમુઘાત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy