SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. મતિ શ્રુતના ક્ષયોપશમથી ગ્રહણ થાય તે શ્રુતજ્ઞાનના આગમશાસ્ત્રો આધારિત ઘણા ભેદ છે. જીવ મતિ-શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી દ્રવ્યોને જાણી શકે છે. છતાં તે સર્વ બદલાતી અવસ્થાઓને જાણે નહિ તેવું મર્યાદિત છે. જીવમાત્રમાં આ બંને જ્ઞાનનો અંશ હોય જ છે. નિગોદ જેવા જીવોને પણ આ બંને જ્ઞાનનો અંશ હોય છે. અર્થાત જીવ છે ત્યાં જ્ઞાન ઉપયોગ હોય છે. 3. અવધિજ્ઞાન મન અને ઈન્દ્રિયોની અપેક્ષા રહિત અતિઈન્દ્રિય જ્ઞાન છે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની મર્યાદાવાળું છે. રૂપી પદાર્થોના પ્રત્યક્ષ જ્ઞાનની પ્રવૃત્તિ તે અવધિજ્ઞાન છે. જેમકે અમદાવાદમાં રહેલો અવધિજ્ઞાની મુંબઈના રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે. અવધિજ્ઞાનના બે ભેદ છે. ૧. ભવપ્રત્યય, ૨. ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન નારક અને દેવોને જન્મગતું હોય છે. જેમ માખી જેવા નાના જંતુને જન્મગત ઉડવાની શક્તિ હોય છે તેમ. ગુણપ્રત્યય-સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચને તપાદિ વડે લબ્ધિયુક્ત અવધિજ્ઞાન હોય છે. જેના છ ભેદ છે. આનુગામિક : સ્થળાંતરે પણ સાથે રહે. અનાનુગામિક : ઉત્પત્તિસ્થાનથી સ્થળાંતર થતાં ટકતું નથી. વર્ધમાન : પરિણામની વિશુદ્ધિ સાથે વૃદ્ધિ પામે. (ક્ષેત્રાદિ) અવસ્થિત : જન્માંતરે સાથે જાય. સવિશેષ તિર્થંકરના જીવને અનવસ્થિત : જળ તરંગની જેમ વધે-ઘટે પ્રગટ-અપ્રગટ થયા કરે. ૪. મન:પર્યવજ્ઞાન : તે અઢી દ્વીપમાં તથા સમુદ્રમાં રહેલા સંજ્ઞી (મનવાળા) પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે તે મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ઋજુમતિ વિષયને સામાન્યપણે જાણે. જેમ કે કોઈ મનુષ્ય ઘડાનો વિચાર કર્યો તે ઋજુમતિવાળો માત્ર તે જીવના ઘડાના વિચારને જાણશે. પરંતુ તેથી વિશેષ ન જાણે વળી કદાચિત ચાલ્યું પણ જાય છે. | વિપુલમતિ અઢી દ્વીપ સુમદ્રમાં રહેલા મનવાળા જીવોના મનોદ્રવ્ય ભાવને સર્વ પ્રકારે જાણે તેવું ઋજુમતિ કરતા વિશુદ્ધતર છે. જેમકે જીવના ઘડાના વિચારને તે ઘડાના પ્રકારને ઉત્પત્તિ આદિ પ્રકારને જાણે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી સાથે રહે છે. મન:પર્યવજ્ઞાન કરતા અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. પણ જ્ઞાનની પ્રશમરતિ ૧૬૩ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy