SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવ-માટી કાયમ રહી. આત્મા ધ્રુવ તત્ત્વ છે, તેનો નાશ નથી. તેની અવસ્થાઓ બદલાય છે. તે અવસ્થાઓ આત્માની ધ્રુવસત્તા પર આધારિત છે. આત્મા ન હોય તો ગતિ વગેરે અવસ્થાઓ કોના પર થાય? મનુષ્યાદિપણું કેવી રીતે ઘટે ! આત્મા ધ્રુવ તત્ત્વ છે. તેની સિવાય રાગાદિ અવસ્થાઓ, મનુષ્યાદિપણું, ઈન્દ્રિયપણું માર્ગણાસ્થાનો, ગુણ સ્થાનો, જ્ઞાનાદિ અવસ્થાઓ પર્યાયો છે, જે નિરંતર ઉત્પાદ અને વ્યયરૂપ છે. આ જગતનો કોઈ કર્તા કે નિયંતા નથી. કોઈ જગતને બનાવતું નથી કે બગાડતું નથી. પરંતુ વિશ્વ આ ત્રણ નિયમથી ચાલે છે. જગતના જડ ચેતન સર્વે પદાર્થો સ્વ-પરિણામી છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં ડખલ કરતું નથી, કે અન્યરૂપે પરિણમતું નથી. જૈનદર્શનની સર્વજ્ઞ પ્રણિત આ ત્રિપદી અનન્ય છે. જે પ્રભુના શ્રીમુખેથી ગણધરોને બોધ આપવા પ્રગટ થઈ હતી. તેમાંથી શ્રી ગણધરોએ ક્રોડો શ્લોક પ્રમાણ દ્વાદશાંગીની રચના કરી તેવી અભૂતતા આ ત્રિપદીમાં છે. તેનું રહસ્ય જેને સમજાય તેને સંયોગ-વિયોગતાના દુઃખ સાર્શે નહિ. કારણ કે તેમાં રહેલા ઉત્પાદ વ્યયનો બોધ છે. ધ્રુવ પ્રત્યે દષ્ટિ રાખે તો શું નાશ પામ્યું નથી પછી શોક શો ? વિલ્પ શો ? મોહ શો ? જૈનેતરમાં આના જેવો બોધ રૂપકથી મળે પણ તે વ્યક્તિ સાપેક્ષ છે. જેમકે બ્રહ્મા જગતનું સર્જન કરે છે (ઉત્પાદ), મહેશ ધ્વંસ કરે છે (વ્યય), વિષ્ણુ રક્ષણ કરે છે (ધ્રુવ). જયારે જૈનદર્શનમાં સર્વજ્ઞ ભગવાને આ ત્રિપદી અત્યંત સ્વંતત્ર પરિણમનયુક્ત છે તેમ સમજાવ્યું તે યથાર્થ બોધદાયક છે. તે પ્રકારે અજીવ પોતાના પરિણામનો કર્તા છે. અને તેનું પરિણામ તે તેનું કર્મ છે. પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી કર્તા કર્મના ભાવ છે તે બંધ છે તે સંસાર છે. તે વ્યવહાર છે તેમ જાણવું. “નિશ્ચય રાખી લક્ષમાં જે આદરે વ્યવહારોજી, તે પુણ્યવંત પામશે, ભવથી પારોજી.” -ઉ. શ્રી યશોવિજયજી પ્રશમરતિ Jain Education International ૧ પ ર For Private & Personal Use Only આત્મા-સોry.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy