SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મોક્ષ : સર્વથા સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું તે મોક્ષ છે. મુક્તાત્મા સિદ્ધશીલા પર બિરાજે છે. અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી શાશ્વત સ્થિતિને પ્રાપ્ત કરે છે. તે આત્માઓને હવે જન્મ જરા મરણાદિના હેતુઓ નષ્ટ થવાથી પરિભ્રમણ સમાપ્ત થાય છે. દેહાદિના બંધનોથી સર્વથા મુક્ત છે. અનંત સમાધિના સુખમાં સ્થિતિ છે. તે સિદ્ધાત્માઓનું જ્ઞાનીજનો ધ્યાન ધરે છે અને પોતાના સિદ્ધસ્વરૂપને પ્રતીત કરે છે. તેની ઉપાસના કરે છે. સિદ્ધાત્માના અવ્યાબાધ સુખનું વર્ણન સર્વજ્ઞ પૂર્ણપણે કરી શકતા નથી તે માત્ર અનુભવ યુક્ત છે. સર્વ જીવોમાં આ સિદ્ધત્વ તિરોહિત રહેલું છે. સ્વભાવના આશ્રયે તે પદની પ્રાપ્તિ થાય છે. માનવ જીવનનું અગ્રીમ કર્તવ્ય સંસારથી મુક્ત એવી સિદ્ધદશાને પામવી તે છે. - ૧૯. જીવના ભેદ પ્રભેદ, HTT IIIIIIIIIII જીવના મુખ્ય બે પ્રકાર, મુક્તજીવ અને સંસારી જીવ. મુક્ત જીવ : સર્વથા સર્વ કર્મથી મુક્ત, જે પુનઃ કર્મથી બંધાતો નથી. જેને પુનઃ જન્મ મરણરૂપ સંસાર નથી તે લોકાગ્રે સિદ્ધશીલા પર અનંતકાળ સમાધિ સુખમાં રમણતા કરે છે. મુક્ત જીવ અશરીરી છે. તે સર્વ ધર્મ કે કર્મથી મુક્ત છે. હવે તેને સંસારના કોઈ હેતુઓ લાગુ પડતા નથી તે સિદ્ધાત્મા-શુદ્ધાત્મા કહેવાય છે. - મુક્તાત્મા તે દીર્ઘ કે હૃસ્વ નથી, તે ગોળ કે ચતુષ્કોણ નથી. તે લાલ કે લીલો નથી. તે શ્વેત કે કાળો નથી. તે સુગંધી કે દુર્ગધી નથી. તે તીખો કે કડવો નથી. તે ખાટો કે મધુર નથી. કર્કશ કે મૃદુ નથી. શીત કે ઉષ્ણ નથી. તે હલકો-ભારે નથી. તે સ્ત્રી કે પુરુષ નથી. તે યુવા કે વૃદ્ધ નથી. તે અશરીરી હોવાથી તેને પૌલિક કોઈ ધર્મ કર્મના વ્યવહાર નથી. જીવ પરને ભોગવતો નથી જ્ઞાનમાત્ર સ્વભાવથી જાણે છે. તો પછી મુક્તાત્મા કેવા છે? અરે ! મુક્તાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શી, અનંત સુખવાળા અને અનંત શક્તિવાળા છે. અક્ષય સ્થિતિવાળા અરૂપી, અગુરુલઘુ હોય છે. તેમના શાશ્વત સુખની દશા યોગીજનો જાણે છે. તે વચનાતીત છે. જીવના ભેદ પ્રભેદ પ્રશમરતિ ૧ ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy