SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ કરાવે તે પુણ્ય પ્રકૃતિ છે અને પાપનો અનુભવ કરાવે તે પાપ પ્રકૃતિ છે. આસવો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના હેતુવાળા છે. ચેતનાની ફુરણા વડે થતી મન, વચન, કાયાની ક્રિયાને યોગ કહે છે. આ પૌગલિક યોગ છે. આ યોગ આત્માની સાથે કર્મોનો સંબંધ કરાવનાર હોવાથી આસ્રવ છે. અર્થાત્ કર્મોનું આવવું તે આસ્રવ છે. તે પૌદ્ગલિક છે. કષાય અને ઈદ્રિયોથી જીતાયેલો આત્મા જ સંસારી છે. તાત્વિક દૃષ્ટિએ વિયંતરાય કર્મના ક્ષયોપશમથી (કંઈક ઉઘાડથી) તથા પુદ્ગલોના આલંબનથી થતું આત્મપ્રદેશોનું કંપન-ક્રિયા તે યોગ છે. તે યોગ શુભ પ્રવૃત્તિ યુક્ત હોય તો પુણ્યાસ્રવ થાય અને અશુભ પ્રવૃત્તિયુક્ત હોય તો અશુભ આસવ થાય છે. બંને આસવ છે. પુણ્યથી સામગ્રી મળે પણ ધર્મ-નિર્જરા ન થાય. આથી તીર્થકર નામકર્મનો પણ ઉત્કૃષ્ટ નામકર્મની પ્રકૃતિમાં સમાવેશ થાય છે. જે છેવટે છૂટી જાય છે. કેવળ શુદ્ધ ભાવ જ ધર્મ છે. પૌદ્ગલિક પદાર્થોના નિમિત્ત થતાં અનેક વિકલ્પો આસવનું કારણ છે, જે સંસાર પરિભ્રમણનું કારણ છે. (૬) સંવર: આસવનો ભેદ જે જીવ અને કર્મવર્ગણાના ગ્રહણ થવા વાળો છે. સંવરતત્વ આત્મા સાથે થતાં કર્મવર્ગણાના સંયોગને રોકવાવાળો છે, તેથી તેના હેતુઓ આત્મલક્ષી છે. આત્મવિશુદ્ધિને કારણે આસવ રોકાય છે. તેના કારણો સમિતિ, ગુપ્તિ, પરિષહજય, ભાવના, સામાયિક આદિ દ્રવ્યસંવર છે. રાગાદિભાવનું રોકાવું તે ભાવસંવર છે. મુખ્યત્વે સાચા-ભાવસંવરના અધિકારી મુનિઓ છે. એટલે તેના હેતુઓ સાધુચર્યાના છે. તેને સાધકે ગૌણપણે આરાધવાના છે. ભાવશ્રાવક ગૌણપણે આરાધના કરી શકે. પૂર્ણસંવર સિદ્ધ ભગવંતોને છે. () નિર્જરા આવતા કર્મોને રોકવા તે સંવર. પૂર્વે બાંધેલા કર્મો જે આત્મપ્રદેશોને આવરણ કરી સત્તા જમાવીને બેઠા છે તેને નષ્ટ કર્યા વગર મોક્ષપ્રાપ્તિ સંભવ નથી. કર્મોને ક્રમે ક્રમે ક્ષીણ કે સર્વથા ક્ષય કરવાના આત્મલક્ષી હેતુઓને નિર્જરા કહે છે. તેનો મુખ્ય હેતુ તપ છે. “ઈચ્છા નિરોધ તપ” નિજ ગુણની અનુભૂતિ થાય તે તપ છે. ઈચ્છાઓ આકાશ જેવી છે તે એકાએક શાંત-નિરોધ થતી નથી તેનો ઉપાય યોજવો પડે છે. તે તપ બે પ્રકારે છે. (૧) બાહ્યતપ (૨) અત્યંતર તપ. આ બંને તપ વ્યવહાર અપેક્ષાએ ઉપાસી જીવે નિશ્ચયથી સ્વભાવમાં સ્થિરતા કરવાની છે તે ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા થાય છે. પરંતુ તે પ્રશમરતિ ૧૪૪ For Private & Personal Use Only નવતત્ત્વનું ચિંતન Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy