SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂત્રના અધ્યયનની પાત્રતા માટે સાંસારિક પ્રવૃત્તિ અને સંપર્કનો, ઉદ્વેગ જેવા દોષનો ત્યાગ, કર્મોનો ક્ષય થાય તે રીતે વિશુદ્ધિ, વૈય્યાવૃત્તમાં કુશળતા, ઈચ્છા નિરોધરૂપ તપ, સ્ત્રી આદિનો ત્યાગ વગેરે જરૂરી છે. આ આચારાંગ સૂત્ર અનેકરૂપ આરાધના અને આચારનું નિર્દેશક છે. વળી ભિક્ષાગ્રહણના દોષથી મુક્ત, સમિતિ ગુપ્તિનું પાલન, સ્થાન, નિષધા આદિ ક્રિયા દ્વારા જાગૃતિ બતાવી છે. દરેક મહાવ્રતની દૃઢતા માટે પાંચ પાંચ ભાવનાઓ અને ચારિત્રની સ્થિરતા માટે મૈત્રી આદિ ભાવનાઓથી સાધુ ભાવિત હોય છે. શિરમોર સમા ૧૮ હજાર શીલના અંગો રાગાદિ ભાવોને નષ્ટ કરે છે તેવા સાધુપણાની ભવ્યતા અદ્ભૂત છે. ચેતના પર છવાયેલા આવરણોને વિખેરી નાંખવાનો મહાયજ્ઞ મંડાયો છે. શુદ્ધ સ્વભાવ જ્ઞાયકપણારૂપ આત્મા પરના કર્મ કલંકના આવરણોને નષ્ટ કરવાના છે. (અઢાર હજાર શીલંકાચાર અન્ય આપેલા છે.) આચારાંગ સૂત્રની આચાર સંહિતામાં ઘણી વિશિષ્ટતાઓ રહેલી છે. શસ્ત્રપરિજ્ઞા : સૂક્ષ્મ જંતુથી માંડીને છકાયજીવ સુધીના કોઈ પણ જીવના વધનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. જીવવધથી જીવ પોતાના પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. લોકવિજય : લૌકિક ભાવોનું નિમિત્ત, પરિવાર આદિના રાગાદિ અને કષાય પર વિજય એ સાધુજીવનનું વિશેષ અંગ છે. શીત-ઉષ્ણતા, ક્ષુધા-તૃષા, ઠંડી-ગરમી જેવા પ્રતિકૂળ કે અનુકૂળ આક્તિ જેવા બાવીસ કે પરિષહો પર વિજય. સમ્યક્ત્વ : આમાં તત્ત્વની પ્રાધાન્યતા છે. જીવાદિ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા એ સાધુજીવનની વિશિષ્ટતા છે. લોકસાર : મુનિ સંસારના પ્રયોજનથી ઉદાસીન હોય છે. સંયમની ધાર પર ચાલે છે. મોક્ષમાર્ગને દેઢતાપૂર્વક સાધતો મોક્ષને પામે છે. ધૂત : સ્વજન પરિવાર પ્રત્યે નિર્વેદ ભાવવાળો હોય છે. અરે ! છેવટે દેહ અને ઉપકરણોનો પણ સ્વૈચ્છિક ત્યાગ કરી લે છે. જેનાથી પોતે ભિન્ન છે તેને ગ્રહતો નથી અને સ્વરૂપને છોડતો નથી. મહાપરિજ્ઞા : પાંચ વ્રતો ઉપરાંત આહાર શુદ્ધિનો ઉપાસક છે. લબ્ધિધારી હોવા છતાં તેનો ઉપયોગ પ્રદર્શન માટે કે ભૌતિક સુખ માટે કરતો નથી. પ્રશમરતિ Jain Education International શ્રી આચારાંગસૂત્ર અધ્યયન ૧૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy